બ્રેકિંગ ન્યુઝ
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'
AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું
અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'
વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન
ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા
દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન
ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન
CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત
VTV / આરોગ્ય / breads for weight loss and diabetics whole wheat bread whole grain bread sprouted bread
Manisha Jogi
Last Updated: 11:30 AM, 1 May 2023
અનેક લોકો વજન ઓછું કરવા માટે બ્રેડ ખાવાનું બંધ કરી દે છે. ડાયાબિટીસના દર્દીઓ પણ ટોસ્ટ અને સેન્ડવીચનું સેવન કરતા નથી. શું તમને ખબર છે કે, બ્રેડનું સેવન કરીને પણ વજન ઓછું કરી શકાય છે. વજન ઓછું કરવા માટે ખાવાનું બંધ ના કરવું જોઈએ, પરંતુ પોષકતત્ત્વોથી ભરપૂર ભોજનનું સેવન કરવું જોઈએ. અહીંયા અમે તમને એવી બ્રેડ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેનું સેવન કરીને વજન ઓછું કરી શકાય છે.
ઘઉંની બ્રેડ
હોલ વ્હીટ બ્રેડ ઘઉંની બનેલ હોય છે અને સફેદ બ્રેડની સરખામણીએ હેલ્ધી હોય છે. વ્હાઈટ બ્રેડમાં પોષકતત્ત્વો ઓછા હોય છે અને મેદસ્વીતા વધે છે. હોલ વ્હીટ બ્રેડથી હ્રદય સ્વસ્થ રહે છે અને ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ રહેતું નથી. આ બ્રેડમાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામીન અને મિનરલ્સ હોય છે. આ બ્રેડનું સેવન કરવાથી વધુ સમય સુધી ભૂખ લાગતી નથી. આ બ્રેડના પેકેટ પર 100 પરસેન્ટ હોલ વ્હીટ ફ્લોર ટેગ લખેલું હોવું જોઈએ.
હોલ ગ્રેઈન બ્રેડ
આ બ્રેડ સંપૂર્ણપણે અનાજથી બનેલ હોય છે અને ન્યૂટ્રીશનલ વેલ્યૂ વધુ હોય છે અને ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ ઓછો કરે છે. ગ્લાઈસેમિક ઈન્ડેક્ષથી જાણી શકાય છે કે, બ્લડ શુગરમાં કેટલો વધારો થઈ રહ્યો છે. હોલ ગ્રેઈન બ્રેડમાં જવ, ઓટ્સ, કિનોવા અને બાજરા હોય છે. આ બ્રેડમાં વિટામીન્સ, મિનરલ્સ, ફાઈબર અને પ્રોટીનની વધુ માત્રા રહેલી હોય છે. વજન ઓછું કરવા માટે હોલ ગ્રેઈન બ્રેડ વધુ હેલ્ધી છે.
સ્પ્રાઉટેડ બ્રેડ
બ્રેડમાં લોટ હોતો નથી, પરંતુ સ્પ્રાઉટિંગ અનાજ, બીન અને સીડ હોય છે. જે લોટમાં મિશ્ર કરવામાં આવે છે અને ધીરે ધીરે બેક કરવામાં આવે છે. આ બ્રેડથી ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ ઓછો થાય છે, જેથી બ્લડ શુગર નિયંત્રિત રહે છે.
સોરડોહ બ્રેડ
સોરડોહ બ્રેડ બનાવવા માટે લોટ, પાણી અને મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે, તે માટે અલગથી ખીરૂ બનાવવું પડતું નથી. બ્રેડમાં રહેલ બૈક્ટેરિયાથી જ ફર્મેંટ કરવામાં આવે છે. ફર્મેંટેશન પ્રોસેસથી લોટમાં રહેલ સ્ટાર્ચ ખતમ થઈ જાય છે. ફર્મેંટેશનથી બ્રેડનો ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ ઓછો થાય છે અને નેચરલ પ્રોબાયોટિક એડ થાય છે. બ્રેડનું સેવન કરવાથી ઈમ્યુનન સિસ્ટમ મજબૂત થાય છે અને એલર્જીનું જોખમ ઘટી જશે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ