બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / boat capsized in brahmaputra river in assam jorhat district many people missing
Dharmishtha
Last Updated: 08:31 AM, 9 September 2021
જોરહાટ જિલ્લામાં નીમતી ઘાટી પાસે પ્રવાસીઓથી ભરેલી બે બોટમાં ટક્કર
આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં ભીષણ અકસ્માતથી બોટ ડુબ્યાની જાણકારી સામે આવી છે. જોરહાટ જિલ્લામાં નીમતી ઘાટી પાસે પ્રવાસીઓથી ભરેલી બે બોટમાં ટક્કર થઈ ગઈ હતી. જે બાદ બોટ પલટાઈ ગઈ. અત્યાર સુધી મળથી માહિતી મુજબ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે 52 થી વધારે લોકો ગુમ છે. રેસ્ક્યૂ ટીમ 41 લોકોને બચાવી લીધા છે.
બન્ને બોટમાં 100થી વધારે પ્રવાસીઓ સવાર હતા
મનાઈ રહ્યું છે કે બન્ને બોટમાં 100થી વધારે પ્રવાસીઓ સવાર હતા. એક બોટમાં માજુલીથી નીમતીઘાટ તરફથી કરવામાં આવી રહી હતી. જ્યારે બીજી આનાથી વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી. બન્નેની વચ્ચે આમને સામને ટક્કર થઈ હતી. જે બાદ બોટ પલટી ગઈ. આ ઘટના પર પીએમ મોદી એ દુઃખ વ્યક્ત કર્યુ છે.
Saddened by the boat accident in Assam. All possible efforts are being made to rescue the passengers. I pray for everyone’s safety and well-being.
— Narendra Modi (@narendramodi) September 8, 2021
પીએમ મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ
પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું તે આસામમાં બોટ દુર્ઘટનાથી દુઃખી છુ. પ્રવાસીઓને બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હું તમામની સુરક્ષા અને સાજા થવા માટે પ્રાર્થના કરુ છુ.
સીએમએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ
સીએમ હિંમતા બિસ્વા સરમાએ બોટ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા માજુલી અને જોરહાટ જિલ્લા પ્રશાસનને એનડીઆરએફ અને એસડીઆરએફની મદદથી બચાવ અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે.
Assam CM Himanta Biswa Sarma confirms boat accident near Nimati Ghat, Jorhat
— ANI (@ANI) September 8, 2021
"Advising state minister Bimal Borah to immediately rush to the accident site. I'll also visit Nimati Ghat tomorrow" he says. pic.twitter.com/yYcG0jb84b
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સીએમ પાસેથી સ્થિતિની જાણકારી લીધી
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક શક્ય મદદ આપવા માટે તૈયાર છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સીએમ પાસેથી સ્થિતિની જાણકારી લીધી. સીએમ ગુરુવારે માજુલીનો પ્રવાસ કરસે. બીજી તરફ જોરહાટ જિલ્લા પોલીસ અધિક્ષક અંકુર જૈનને જણાવ્યું કે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે કેટલાક લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. બાકીનાની શોધ ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT