બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
vtvAdmin
Last Updated: 03:07 PM, 21 July 2019
દાળ પકવતી વખતે તેમા કેળાનું પાન પણ રાખી દો. 80 ડીગ્રી તાપમાન પર જ્યારે દાળ પકવા લાગશે ત્યારે કેળાના પાનમાંથી વિશેષ રસાયણ નીકળશે. જે તમને નિરોગી રાખશે. ચોંકો નહી. ઘણા સંશોધનો બાદ આ વાત સાબિત થઇ છે. ઇસરોના પુર્વ વૈજ્ઞાનિક અને વડાપ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર રહી ચુકેલા પ્રો. ઓમપ્રકાશ પાંડેએ પોતાના એક સંશોધનમાં આ વાત સાબીત કરી છે.
પ્રોફેસર પાંડેએ જણાવ્યુ કે આજે પાકમાં કેમિકલ્સ અને જંતુનાશકોનો ખુબ જ ઉપયોગ થાય છે. તેમાં ઉત્પન્ન અનાજમાં ઘણા ઝેરીલા તત્વો પણ હોય છે. જે અનાજમાંથી બનેલા ભોજનની સાથે શરીરમાં પહોંચી જાય છે. તેની ખરાબ અસરોથી બચવામાં કેળાના પાન ખુબ અસરકારક છે. કેળાના પાનમાં પોલી ફેનોલ નામનુ કાર્બનિક રસાયણ હોય છે. કેળાના પાનને જ્યારે આપણે 80 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાનમાં રાખીએ છીએ ત્યારે તેમાથી રસાયણ નીકળવા લાગે છે.
આ રસાયણમાં એન્ટીઓક્સીડન્ટનો ગુણ હોય છે. કેળાના પત્તા સાથે બનેલી દાળમાં આ રસાયણ પહોંચે છે. આવી દાળ કે શાકનું સેવન કરીએ તો એક અઠવાડિયા સુધી રસાયણની અસર રહે છે. આ દાળનું સેવન શરીરમાં રહેલા ઝેરીલા તત્વને ખતમ કરે છે અને શરીરમાં રહેલા ખતરનાક જીવાણુઓની અસર પણ ઘટાડે છે. એન્ટીઓક્સીડન્ટ વૃધ્ધાવસ્થાની અસરને પણ રોકે છે.
કેળાના પત્તા પર બાષ્પોસર્જનનો દર ઘટાડવા માટે વેક્સનું આવરણ રહે છે. તે દાળમાં મળીને તેને સ્વાદિષ્ટ બનાવવાની સાથે સ્વાસ્થ્યની પણ દેખરેખ કરે છે. કેળાના પત્તા પર પકવેલી દાળ ખાવાથી એક વીક સુધી તમને સુરક્ષા કવચ મળી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ