બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Priyakant
Last Updated: 02:46 PM, 15 March 2024
Citizenship Amendment Act : કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવામાં આવ્યો છે. જોકે જ્યારથી આ કાયદો લાગુ થયો ત્યારથી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે. આ કારણે પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુ શરણાર્થીઓએ ગુરુવારે કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે હવે દિલ્હીના મુખ્યમંત્રી ગુસ્સે થયા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું, આ પાકિસ્તાનીઓની હિંમત? સૌ પ્રથમ તેઓએ આપણા દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી, આપણા દેશના કાયદા તોડ્યા, તેમને જેલમાં જવું જોઈતું હતું, શું તેમનામાં એટલી હિંમત છે કે તેઓ વિરોધ કરી રહ્યા છે અને આપણા દેશમાં હંગામો મચાવી રહ્યા છે? CAA આવ્યા બાદ પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ દેશભરમાં ફેલાઈ જશે અને લોકોને પરેશાન કરશે. તેમને પોતાની વોટબેંક બનાવવાના સ્વાર્થમાં ભાજપ આખા દેશને મુશ્કેલીમાં ધકેલી રહી છે.
इन पाकिस्तानियों की हिम्मत? पहले हमारे देश में ग़ैर क़ानूनी तरीक़े से घुसपैठ की, हमारे देश का क़ानून तोड़ा। इन्हें जेल में होना चाहिए था। इनकी इतनी हिम्मत हो गयी कि हमारे देश में प्रदर्शन कर रहे हैं, हुडदंग कर रहे हैं? CAA आने के बाद पूरे देश में पाकिस्तानी और बांग्लादेशी फैल… https://t.co/xjVVrrglt7
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 15, 2024
મહત્વનું છે એ, દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે વિરોધની સાથે સાથે પડોશી દેશોમાંથી આવેલા આ શરણાર્થીઓ આજે કોંગ્રેસ મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કારણ કે કોંગ્રેસ પણ CAAનો વિરોધ કરી રહી છે.
વાત જાણે એમ છે કે, સરકારે CAA લાગુ કર્યા પછી કેજરીવાલે આ કાયદા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, 'આ કાયદો લાગુ થયા પછી 1947 કરતા વધુ સ્થળાંતર થશે. તેમણે કહ્યું હતું કે, આ કાયદાના અમલથી પાકિસ્તાનના લોકો ભારત આવશે, કેટલા સુરક્ષિત રહેશે. ચોરી, બળાત્કાર, લૂંટ અને રમખાણો વધશે. જો પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો તમારા ઘરની નજીક આવીને ઝૂંપડપટ્ટી બાંધે તો તમને તે ગમશે?
વધુ વાંચો: આવતીકાલે લોકસભા સાથે વિધાનસભા ચૂંટણીનું પણ એલાન, આ 4 રાજ્યોની તારીખો કરાશે જાહેર
કેજરીવાલ પોતાનો પિત્તો ગુમાવી ચૂક્યા છેઃ અમિત શાહ
અરવિંદ કેજરીવાલ દ્વારા CAA અંગે વારંવાર પ્રશ્નો ઉઠાવવા પર ગૃહ પ્રધાન અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, દિલ્હીના સીએમ તેમના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયા પછી તેમનો પિત્તો ગુમાવી બેઠા છે. શાહે વધુમાં કહ્યું હતું કે, કેજરીવાલને કદાચ ખબર નથી કે આ બધા લોકો ભારત આવ્યા છે, ભારતમાં રહી રહ્યા છે, તેમને અધિકારો જ મળ્યા નથી. તેમને તે અધિકાર આપવો પડશે. શાહે કહ્યું હતું કે, આવી સ્થિતિમાં 2014 સુધી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવી પડશે. જો કેજરીવાલને આટલી જ ચિંતા છે તો તે બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત કેમ નથી કરતા? રોહિંગ્યાઓ મુસ્લિમોનો વિરોધ કેમ નથી કરતા? તેઓ આમ કરતા નથી કારણ કે તેઓ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime