બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Aoora sings Raghupati Raghava Raja Rama Video ayodhyarammandir pranpratishtha ayodhya
Last Updated: 02:01 PM, 22 January 2024
ADVERTISEMENT
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા આજે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં સાધુ સંતો, બોલિવૂડ સ્ટાર સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન દ્વારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરતાની સાથે જ રામ મંદિર પરિસર જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આજે ભારતના દરેક ઘરમાં માત્ર જય શ્રી રામના નારા જ ગુંજી રહ્યા છે. માત્ર અયોધ્યા શહેરમાં જ નહીં પરંતુ દેશના ખૂણે-ખૂણે લોકો ભગવાન રામનું ભવ્ય રીતે સ્વાગત કરી રહ્યા છે. બધા રામ ભક્તો રામ લાલાની ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે. પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસે કોરિયન સિંગર Aooraએ તેમના અવાજમાં ભગવાન રામને એક ગીત સમર્પિત કર્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Aoora એ ભગવાન રામ માટે ગીત ગાયું હતું
કે-પોપ સિંગર Aooraએ બિગ બોસ 17માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. પરંતુ બિગ બોસ સાથેની તેની સફર થોડા અઠવાડિયા પહેલા સમાપ્ત થઈ ગઈ હતી. ભલે Aoora બિગ બોસના ફિનાલેની રેસમાંથી બહાર થયા હોય, પરંતુ તેની 'આભા' આજે પણ દરેક જગ્યાએ અકબંધ છે. તેને ચાહકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. હવે કે-પૉપ સિંગરે રામ લલા માટે ગીત ગાઈને તેના ચાહકોના દિલને ખુશ કરી દીધા છે. પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર Aoora એ તેના અવાજમાં ભગવાન રામ અને યુપી ટુરીઝમને સમર્પિત એક મ્યુઝિક વીડિયો રિલીઝ કર્યો છે. મ્યુઝિક વીડિયોનું શીર્ષક 'રઘુપતિ રાઘવ રાજા રામ' છે. વીડિયોમાં Aoora કપાળ પર તિલક લગાવેલી ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા છે. તેઓ ખૂબ જ ઉર્જા અને ભક્તિ સાથે ભગવાન રામના ગીત ગાતા જોવા મળ્યા હતા. Aoora એ રામ લાલાના નામનો જાપ એવી રીતે કર્યો કે સાંભળનારા તેમના અવાજના પ્રશંસક બની જાય.
ADVERTISEMENT
ADVERTISEMENT
વધુ વાંચો : પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન રામ આપ્યા સાક્ષાત દર્શન, ઐતિહાસિક ક્ષણ ચૂકી ગયા હોય તો જોઈ લો આ વીડિયો
ADVERTISEMENT
અયોધ્યાનું દક્ષિણ કોરિયા સાથે જોડાણ
ઈન્સ્ટાગ્રામ પર મ્યુઝિક વીડિયો શેર કરતી વખતે Aoora એ લખ્યું - દક્ષિણ કોરિયા અયોધ્યા સાથે ઊંડો અને ઐતિહાસિક બોન્ડ શેર કરે છે. અયોધ્યામાં ઉજવણીનો માહોલ છે. એટલા માટે હું આ ગીત યુપી ટુરીઝમને પ્રેમ અને સન્માન સાથે સમર્પિત કરવા માંગુ છું. ભારતીય સંસ્કૃતિએ મને ભારત સાથે જોડાવાની તક આપી છે. તેણે આગળ લખ્યું- જ્યારે હું આ ગીત ગાતી વખતે મેં મારી જાતને ભક્તિમાં ડૂબેલી જોઈ. ચોક્કસ તમે પણ એવું જ અનુભવો છો. કે-પૉપ સિંગરને રામની ભક્તિમાં ડૂબેલી આ ગીતને ગાતા જોઈને ભક્તોના દિલ ખુશ થઈ ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.