બ્રેકિંગ ન્યુઝ
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ
લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
VTV / અજબ ગજબ / An enigmatic case in the medical world, 12 cm stone coming out of a patient's knee, doctors stunned
Hiralal
Last Updated: 08:56 AM, 20 March 2022
કિડની કે પિત્તાશયમાં પથરી થવી સામાન્ય વાત છે. તેની સારવાર પણ સરળતાથી થાય છે. પરંતુ શું તમે કોઈના ઘૂંટણમાં પથ્થર કે પથ્થર વિશે સાંભળ્યું છે? કદાચ નહિ... પરંતુ આવો જ એક કિસ્સો મુંબઈમાં જોવા મળ્યો છે. હવે પથરી કિડની સુધી મર્યાદિત રહી નથી, શરીરના બીજા અંગોમાંથી પણ પથરી નીકળી શકે છે. ગયા અઠવાડિયે ડોક્ટરે 70 વર્ષના એક દર્દીના જમણા ઘૂંટણમાંથી 12 સેન્ટીમીટરની પથરી કાઢી હતી.
મહારાષ્ટ્રના અમરાવતીની ઘટના
મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાશી લક્ષ્મીકાંત માધેકર નામના આધેડને ઘૂંટણમાં સતત દુખાવો રહેતો હતો. ઘૂંટણના દુખાવાને કારણે તેઓ યોગ્ય રીતે ચાલી પણ શકતા નહોતા કે દાદરા પણ ચડી શકતા નહોતા. ગામના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરવામાં આવતા તેમના ઘૂંટણમાં કાકડી આકારના પથ્થર હોવાનું સામે આવ્યું હતું આ પછી તેમનું અમરાવતીની હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઘૂંટણમાંથી પથ્થરો કાઢવામાં આવ્યાં હતા.
દર્દીના ઘૂંટણમાંથી નીકળ્યાં 4 પથ્થરો
માધેકરનું ઓપરેશન કરનારા ઓર્થોપેડિક સર્જન ડો.સિદ્ધાર્થ એમ શાહે જણાવ્યું હતું કે અમે દર્દીના ઘૂંટણનું ઓપરેશન કરીને 4 પથ્થરો બહાર કાઢ્યાં હતા. અમારે માટે પણ આ મોટા કોયડા સમાન ઘટના છે.
દશ લાખ લોકોમાંથી એકને થાય છે આવી દુર્લભ બીમારી
ડોક્ટરોના મતે આ એક દુર્લભ બીમારી છે. તે દસ લાખ લોકોમાંથી માત્ર એકમાં થાય છે. જે દર્દીનાં ઘૂંટણમાંથી આ પથ્થર બહાર કાઢવામાં આવ્યો છે મજૂરી કરીને પેટીયું રળી ખાય છે. મહારાષ્ટ્રના અમરાવતીના છે. ખાસ વાત એ છે કે ડોક્ટરોએ આ સર્જરી મફતમાં કરી હતી અને તેના ઘૂંટણને રિપ્લેસ કરવામાં આવ્યા હતા.
મેડિકલ જગત માટે કોયડારુપ કિસ્સો
અત્યાર સુધી તો કિડનીમાંથી પથરી નીકળતી હતી પરંતુ હવે પહેલી વાર કોઈ દર્દીના ઘૂંટણમાંથી પથરી નીકળી છે જે મેડિકલ જગત માટે એક કોયડારુપ કિસ્સો છે. પથરી હવે શરીરના બીજા ભાગમાંથી પણ નીકળી શકે તે સાબિત થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ