બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Politics / Amid the ongoing civil war in Sudan, Twitter war between S Jaishankar and veteran Congress leader,
Priyakant
Last Updated: 09:19 AM, 19 April 2023
સુદાનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ વચ્ચે હવે ભારતમાં S જયશંકર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વચ્ચે ટ્વિટર વૉર શરૂ થયું છે. વાત જાણે એમ છે કે, સુદાનમાં ફસાયેલા કર્ણાટકના હક્કી-પીક્કી આદિવાસી સમુદાયના 31 લોકો પર વિદેશપ્રધાન એસ જયશંકર અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા વચ્ચે ટ્વિટર યુદ્ધ શરૂ થયું છે. વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે, સિદ્ધારમૈયા રાજનીતિ કરી રહ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ આરોપ કર્યા છે કે, કેન્દ્ર સરકારે હજુ સુધી ફસાયેલા લોકોને પાછા લાવવા માટે પહેલ કરી નથી. આ તરફ એસ જયશંકરે કહ્યું કે, તમે આ પરિસ્થિતિ પર રાજનીતિ કરી રહ્યા છો તે બેજવાબદાર છે. કોઈપણ ચૂંટણીલક્ષી ધ્યેયને પૂરો કરવા માટે વિદેશમાં ફસાયેલા ભારતીયોને જોખમમાં મૂકવાનું કોઈ કારણ નથી.
Simply appalled at your tweet! There are lives at stake; don’t do politics.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 18, 2023
Since the fighting started on April 14th, the Embassy of India in Khartoum has been continuously in touch with most Indian Nationals and PIOs in Sudan. https://t.co/MawnIwStQp
શું કહ્યું વિદેશમંત્રી એસ.જયશંકરે ?
વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે, હું તમારી ટ્વીટથી ચોંકી ગયો છું. લોકોના જીવ જોખમમાં છે તેથી રાજકારણ ન કરો. સુદાનમાં લડાઈ શરૂ થઈ ત્યારથી ખાર્તુમમાં એમ્બેસી લોકો સાથે સંપર્કમાં છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સુરક્ષાના કારણોસર અમે ભારતીય લોકો માટે લોકેશન જાહેર કરી શકતા નથી.
It is also unfortunate to know that we have lost one Indian & 60 others in the ongoing civil war in Sudan.
— Siddaramaiah (@siddaramaiah) April 18, 2023
My deepest condolences to their families and pray for the peace in the region.
શું કહ્યું સિદ્ધારમૈયાએ ?
પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અનેક ટ્વિટમાં ભારત સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી જેથી આ ફસાયેલા લોકોને ઘરે લાવી શકાય. તેમણે ટ્વીટ કર્યું, માહિતી મળી છે કે કર્ણાટકના હક્કી-પીક્કી આદિવાસી જૂથના 31 લોકો સુદાનમાં અટવાયેલા છે જ્યાં ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન, વિદેશ પ્રધાન અને મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને તેમની સલામત પરત સુનિશ્ચિત કરવા અપીલ કરીશ.
Hakki Pikkis in Sudan are left stranded without food since the last few days & the govt is yet to initiate action to bring them back.@BJP4India govt should immediately open diplomatic discussions & reach out to international agencies to ensure the well-being of Hakki Pikkis.
— Siddaramaiah (@siddaramaiah) April 18, 2023
સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો કે, હક્કી-પક્કી આદિવાસી જૂથના લોકો સુદાનમાં અટવાયા છે અને ઘણા દિવસોથી ખોરાક વિના છે પરંતુ સરકારે હજુ સુધી તેમને પરત લાવવાની પહેલ કરી નથી. તમને જણાવી દઈએ કે, સુદાનમાં બે જૂથો વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી છે અને બંને પક્ષો આર્ટિલરી, ભારે દારૂગોળો અને ફાઈટર પ્લેનનો ઉપયોગ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime