બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ambaji light and sound show rehearsal video first on vtv news
Khyati
Last Updated: 01:01 PM, 7 April 2022
ભારતમાં સૌથી મોટા લાઇટ શૉનો 8 એપ્રિલે શુભારંભ થવા જઇ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું લોકાર્પણ થશે. ત્યારે વીટીવી ન્યૂઝ સમક્ષ લાઇટ અને સાઉન્ડ શૉનો એક્સક્લુઝીવ વીડિયો સામે આવ્યો છે. ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું રિહર્સલ કરવામાં આવ્યુ હતું તે વીડિયો સામે આવ્યો છે. ગબ્બર પર્વત પર, શિવજી, અંબાજી મંદિર સહિતની વિવિધ પ્રતિકૃતિઓની દર્શાવવામાં આવી છે.લાઇટ અને સાઉન્ડ શોનુ રિહર્સલ કરવામાં આવ્યુ હતું જેનો ભવ્ય નજારો જોવા મળ્યો. મહત્વનું છે કે 8થી 10 એપ્રિલ સુધી 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં લાઇટ એન્ડ સાઉન્ડ શૉએ અંબાજીમાં આકર્ષણનું કેન્દ્ર બની જાય તેમાં કોઇ નવાઇ નહિ.
અંબાજીમાં શરુ થશે પરિક્રમા
જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે પણ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવનાર છે. ત્રણ દિવસ કાર્યક્રમમાં અંબાજીમાં યજ્ઞ હોમ હવન અને ભજનથી ભક્તિમય માહોલ રહેશે. 8થી 10 એપ્રિલના 51 શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શક્તિપીઠ અંબાજી ગબ્બર પર પરિક્રમાને લઇને જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે...
51 શક્તિપીઠ પરિક્રમાનું કેવું છે આયોજન ?
8 એપ્રિલે સવારે 6 વાગ્યાથી તમામ મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ થશે. 51 જેટલા અંબાજીના અગ્રણીઓ ગબ્બર પર્વત પરથી જ્યોત લાવશે .8 એપ્રિલે શોભાયાત્રા કાઢીને પરિક્રમાની શરૂઆત થશે. 2.8 કિલોમીટરની લંબાઈમાં 1500 પગથિયામાં પરિક્રમા થશે. 3 દિવસ અંબાજીમાં યજ્ઞ, હોમ હવન, ભજનથી ભક્તિમય માહોલ રહેશે. 9 એપ્રિલે 650 જેટલા આનંદ ગરબા મંડળ પરિક્રમામાં જોડાશે. 10 એપ્રિલે આનંદ ગરબા મંડળો પાલખી યાત્રા યોજશે. શક્તિપીઠ અંબાજીના ગબ્બર પર્વત પર પરિક્રમા યોજાશે. આ પ્રસંગે ભારતના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરાયું છે..યાત્રાધામ વિકાસ બોર્ડે પણ અલગ અલગ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓને આમંત્રણ આપ્યું છે.
કોણ કોણ રહેશે હાજર ?
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રખ્યાત ગાયિકા અનુરાધા પોનડવાલ 8 તારીખે અંબાજી આવશે. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ કોટેશ્વર મંદિર ખાતે ભૂમિપૂજન કરશે. મુખ્યમંત્રી રાત્રે 8 વાગ્યે સૌથી મોટા લાઈટ શોનું લોકાર્પણ કરશે. જ્યારે 9એપ્રિલે તારક મહેતાની ટીમ પણ અંબાજી આવશે.
ભક્તોને નહી પડે અગવગડતા
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શનથી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જે માટે વિવિધ સમિતિઓના અધિકારીઓને જે કામગીરી સોંપાઈ છે તે ચોકસાઈપૂર્વક કરવા, સમગ્ર પરિક્રમા મહોત્સવ દરમિયાન સ્વચ્છતા અંગે સવિશેષ ધ્યાન આપવા અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ