બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabadi go out at the risk of their lives Sewer covers open in many areas
Kishor
Last Updated: 07:03 PM, 7 August 2022
અમદાવાદને સ્માર્ટ સીટી કહેવામાં આવે છે પરંતુ નાગરિકોને સ્માર્ટ સુવિધા મળતી નથી.અમદાવાદમાં રેહવુંએ એક સમસ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે. ઘરેથી નિકળો તો ઢોર નડે, રાસ્તા પરના ખાડા કે પછી ગટરના ખુલ્લા ઢાંકણા. શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર જ્યા જુઓ ત્યાં ગટરના ઢાંકણા ખુલ્લા છે. અમદાવાદના જશોદાનગર, સીટીએમ, હાટકેશ્વર, બાપુનગર સહીતના વિસ્તારોમાં ગટરના ઢાંકણા ખુલ્લા જ મૂકી દેવામાં આવ્યા હોવાથી તંત્રની આળસુ વૃતિ સામે સવાલો ઊભા થયા છે.
ગટરના ખુલ્લા ઢાંકણા મોતનું મો ફાડીને ઊભા છે
ગટરના ખુલ્લા ઢાંકણા મોતનું મો ફાડીને ઊભા હોવા મામલે તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર અધિકારીઓને તાકીદે સૂચના આપી આ ગટરના ઢાંકણા બંધ કરવા કહેવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી અધિકારીઓએ પણ કામગીરી કરવાની તસ્દી લીધી નથી. અમદાવાદમાં રોડ પર ઢોરનો ત્રાસ તો યાથવત જ છે ઉપરથી અકસ્માત નોતરવા ખુદ અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ ગટરના ઢાંકણા ખુલ્લા મૂકી દેવાયા છે જે અકસ્માતની રાહ જોઈ રહયા હોય તેવુ લાગી રહ્યું છે.
ખુલ્લા ઢાંકણા અકસ્માત નોતરે તે પહેલા કાર્યવાહી કરવા માંગ
સ્માર્ટ સિટી અમદાવાદના રહીશોને ઉપાધિનો કૉઈ પાર નથી. વરસાદમાં પાણી ભરવાની સમસ્યા નવી નથી પણ પાણીના નિકાલ બાદ જે ગટરોના ઢાંકણા બંધ નથી કરવામાં આવી જેના કારણે લોકોએ રસ્તા પર નીકળવું અકસ્માતને નોતરવા સમાન છે. મહત્વનું છે કે, તાજેતરમાં મહેસાણા જિલ્લાના વિસનગરમાં તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં બે બાળકી પડી હતી. આ કરુણ ઘટનામાં એક બાળકીનું મોત થયું હતું. જેથી આવી ઘટનામાંથી શીખ લઇને અમદાવાદમાં પણ તાત્કાલિક ખુલ્લા ગટરના ઢાંકણા અકસ્માત નોતરે તે પહેલા કાર્યવાહી કરવા માંગ ઊઠી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ