બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad will get a gift of oxygen park with 12 thousand trees and facilities including gym, walkway
Kishor
Last Updated: 12:05 AM, 7 September 2022
અમદાવાદના લોકોને વધુ એક ઓક્સીજન પાર્કની ભેટ મળવા જઈ રહી છે. થલતેજના હેબતપુરા ખાતે ઓક્સીજન પાર્ક બનાવવામાં આવ્યો છે. આ પાર્ક ગુરૂવારે લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.આશરે 4,200 ચોરસ મીટરમાં 15 લાખના ખર્ચે આ પાર્કને ડેવલોપ કરવામાં આવ્યો છે. પાર્કમાં 12 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે. વધુમાં અહીં આકર્ષક જીમ અને ચાલવા માટે વોક વે પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત ઓપન જિમના સાધનો પણ મૂકવામાં આવ્યા છે.
મિયાવાંકી પદ્ધતિથી કરવામાં આવ્યું પ્લાન્ટેશન
થલતેજ વોર્ડના હેબતપુર ખાતે પીપીપી મોડલથી ઓક્સિન પાર્ક બનાવવામાં આવ્યો છે. જેને બે દિવસમાં ખુલ્લો મૂકવામાં આવશે. 15 લાખના ખર્ચે આ પાર્કને બનાવવામાં આવ્યો છે. જેમાં 12 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ તમામ પ્લાન્ટેશન મિયાવાંકી પદ્ધતિથી કરવામાં આવ્યું છે. જે અમદાવાનું નવલું નજરાણું બની રહેશે અને શહેરીજનોને ઉપયોગી નિવડશે.
17 લાખ વૃક્ષોનું અમદાવાદના વિવિધ સ્થળો પર વાવેતર કરાયું
શહેરના કુલ ભૌગોલિક વિસ્તારના 4.66 ટકા ગ્રીન ક્વરને 15 ટકા સુધી લઈ જવા માટે amc દ્વારા 2019-20થી દર વર્ષે 10 લાખ વૃક્ષો વાવવાનું આયોજન હાથ ધર્યું હતું. જ્યા આ વર્ષે 21 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જેના ભાગરૂપે 17 લાખ વૃક્ષોનું અમદાવાદના વિવિધ સ્થળો પર વાવેતર કરી દેવામાં આવ્યું છે અને છેલ્લા 5 વર્ષમાં 128 જેટલા ઓકસીજન પાર્ક કોર્પોરેશન દ્વાર ડેવલપ કરવામાં આવ્યા છે. આ વનમાં પ્રવેશ કરતા લોકોને બહારના તાપમાન કરતા 5 થી 6 ડિગ્રી ગરમી ઓછી લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ