બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Hiren
Last Updated: 06:26 PM, 2 November 2021
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિવારમાં 17 વર્ષની સગીરાના લગ્નની વાત ચાલતી હતી. આ સગીરાના માતા-પિતા લગ્નને લઇને કામથી ગયા હતા. આ દરમિયાન ઘરેથી તેમને ફોન આવ્યો કે ઘરમાં દીકરી નથી. તો કામવાળી પણ ગાયબ થઇ ગઇ હોવાનું સામે આવ્યું હતું. આ બન્ને એક બેગ લઇને ફરાર થઇ ગઇ.
ઘરમાંથી ગાયબ થઇ ગયા દાગીના, અપહરણ અને ચોરીની નોંધાઈ ફરિયાદ
ઘટનાની જાણ થતા માતા-પિતા ઘરે આવ્યા અને તપાસ કરી તો ઘરમાં 8 લાખના સોનાના દાગીના ગાયબ હતા. બાદમાં આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરીને અપહરણ અને ચોરીનો ગુનો નોંધી અને બન્નેની શોધખોળ હાથ ધરી છે. તો બન્ને સગીરા રાજસ્થાન અજમેર તરફ ભાગી હોવાની આશંકા છે, જેને લઇને પોલીસની એક ટીમ રાજસ્થાન તપાસ અર્થ રવાના થઇ છે.
ઘરમાં તપાસ દરમિયાન લોહીના ડાઘા મળી આવ્યા હતા
પૂર્વ વિસ્તારમાં રહેતા એક પરિવાર સાથે આ ઘટના બની છે. સગીરાના પિતા પંચરની દુકાન ધરાવી કામધંધો કરે છે. તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે. ત્યારે આ ઘટના મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે 17 વર્ષની સગીરા અને કામવાળી સાથે ભાગી ગયા છે. ઘરમાં લોહીના ડાઘા મળી આવ્યા છે જે અંગે શક્યતાઓ છે કે કામવાળી સગીરાએ જાતે કોઈઇજા પહોંચાડી હોઈ શકે છે. તો રાજસ્થાનના અરજમેર રવાના થયેલી પોલીસની ટીમ ટુંક સમયમાં બન્ને સગીરાને શોધી લાવશે તેવો વટવા PSI એચ.વી. સિસારાએ દાવો કર્યો છે. તો આ સમગ્ર મામલે સાચી હકિકત તો બન્નેની ભાળ મળ્યા પછી જ સામે આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ