બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Politics / after the dispute, Karnataka Congress gov scarps the controversial order to stop developmental work in the temples
Vaidehi
Last Updated: 04:37 PM, 19 August 2023
કર્ણાટક મંદિરોમાં ચાલી રહેલા વિકાસનાં કામોને અટકાવવાનાં આદેશ પર થયેલા વિવાદને જોતાં કોંગ્રેસ સરકારે તરત જ ડેમેજ કંટ્રોલ કરી લીધું. રાજ્યનાં મુજરાઈ વિભાગનાં વિવાદસ્પદ સર્ક્યુલરને પાછું ખેંચી લીધું છે. આ સર્ક્યુલરમાં નોટીસ ન મળે ત્યાં સુધી વિકાસનાં કામોને સંપૂર્ણપણે રોકવાનું કહેવાયું હતું. વિપક્ષી દળ ભાજપને આ મુદે અવાજ ઊઠાવવાની ધમકી આપી અને હિંદૂ સંગઠનોએ આ સર્ક્યુલરને હિંદૂ વિરોધી કરાર કરી દીધું.
મુજરાઈ મંત્રીએ આપી સ્પષ્ટતા
મુજરાઈ મંત્રી આર.રામલિંગા રેડ્ડીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે મંદિરોમાં વિકાસ કાર્ય અટકાવવાનો સરકારનો ક્યારેય ઉદેશ્ય નહોતો. માત્ર ચાલી રહેલા કામ પર એક સ્ટેટસ રિપોર્ટ સોંપવાનું કહેવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર કર્ણાટક મુજરાઈ મંત્રીએ ભાજપ સરકાર અંતર્ગત દરેક મંદિર માટે મંજૂર કરવામાં આવેલા ધનની માત્રા, અત્યાર સુધી ફાળવવામાં આવેલા ધનની રાશિ અને યોજનાઓની હાલની સ્થિતિ અંગેનાં રિપોર્ટની માહિતી 30 ઑગસ્ટ સુધી આપવાની માંગ કરી હતી. 14 ઑગસ્ટનાં મુજરાઈ વિભાગે આદેશ જારી કરીને વિભાગનાં તમામ અધિકારીઓને સરકારની અંડર આવતાં મંદિરોમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અટકાવવાનું કહ્યું.
આદેશ પાછો ખેંચી લેવાયો
આ સમગ્ર વિવાદ પર પ્રતિક્રિયા આપતાં મુજરાઈ મંત્રી રેડ્ડીએ કહ્યું કે,' આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. અમે માત્ર નવીનીકરણ કાર્ય માટે ભેગા કરવામાં આવતાં ધનની સ્થિતિ જોઈ રહ્યાં હતાં. મંદિર પરિસરમાં ચાલી રહેલા કામને રોકવાનો અમારો કોઈ જ ઉદેશ્ય નહોતો.' જ્યારે મુજરાઈ વિભાગનાં એક અધિકારીએ કહ્યું કે મંત્રીની સ્ટેટસ રિપોર્ટની માંગ ખોટી રીતે લખાઈ હોવાને લીધે મંદિરોમાં વિકાસકાર્યો અટકી ગયાં. તો બીજી તરફ ભાજપ અને હિંદૂ સંગઠનોએ સરકાર પર 'આસ્થાની સાથે રાજનીતિ રમવાનો' આરોપ લગાડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime