બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / AFTER SECOND WAVE OF CORONA BUSINESS OF SECOND HAND VEHICLAS GOES INCREASE
ParthB
Last Updated: 07:52 PM, 1 June 2021
સેકન્ડ વાહનોના વેપારમાં 250 ટકા જેટલો વધારો થયો
કોરોનાની બીજી લહેરમાં કોરોનાનો શિકાર ન થઈ જવાય તે માટે લોકોએ પોતાના વાહનો લેવાનું પસંદ કર્યું. જે લોકો પાસે નવી કાર કે બાઇક લેવાના પૈસા નથી, તેમણે સેકન્ડ હેન્ડ વાહન લેવા પર વધુ જોર આપ્યું. સ્થિતિ એવી સર્જાઇ છે કે સેકન્ડ હેન્ડ વાહનો વેચતા લોકોનો ધંધો વધુ સારી રીતે ચાલ્યો છે, અને વધુમાં વધુ ગ્રાહકો તેમની પાસે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર સેકન્ડ વાહનોના વેપારમાં 250 ટકા જેટલો વધારો થયો છે.
કોરોના મહામારીના સંદર્ભે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં થયો ઘટાડો
ઓનલાઈન વાહન વેચનાર પ્લેટફોર્મ DROOMના માલિક સંદીપ અગ્રવાલે કહ્યું છે કે પોતાનું વાહન લેવા વાળા લોકોમાં હવે વધુ જાગૃતતા આવી છે. આ બધા પાછળનું મુખ્ય કારણ એ છે કે તે બધા લોકોને કોરોના સામે પોતાની સુરક્ષા કરવી છે. ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ અનુસાર, કારથી ટ્રાવેલિંગ કરતાં 70 ટકા લોકોએ પોતાની કાર લેવાનું પસંદ કર્યું છે. તે બધા જ લોકોનું માનવું છે કે કોરોના મહામારીના સંદર્ભે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માં ટ્રાવેલ કરવું ના જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે ગયા વર્ષે ફેબ્રુઆરી સુધી અમારો વ્યાપાર ચાલ્યો હતો પણ 2020 પછી અમારો વેપાર 95 મિલિયન સુધી પહોંચી ગયો છે.
ઓનલાઈન પ્લેટફોર્મ પર વાહનો વધુ વેચાયા
ભારતમાં કોરોનાને લઈ વધુ સતર્ક થઈ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર કોરોનાના સમયે લોકો ઓનલાઈન તરફ વધુ ભાર આપે છે. અને આ કારણે લોકોએ વાહનો પણ ઓનલાઈન જ લેવાનું પસંદ કરે છે. તેમનું કહેવું છે કે કોરોના પહેલા તેઓ મહિને 3-4 હજાર વાહનો વેચાયા હતા, પણ કોરોના બાદ લગભગ 7,500 થી લઈ 10,000 વાહનો દર મહિને વેચાઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT