બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
VTV / ગુજરાત / ACB foolproof plan to arrest Lancia officer, ACB issues circular on complainant's issue
Dinesh
Last Updated: 10:58 PM, 25 January 2024
રાજ્યમાં લાંચિયા અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરનારા લોકોને હવે કોઈ પ્રકારની મુશ્કેલી પડશે નહીં. ACBએ આવા લોકો માટે કેર પ્રોગ્રામની શરૂઆત કરી છે. કેરિંગ ઓફ એપ્લિકન્ટ એન્ડ રિસ્પોન્ડીંગ ઇફેક્ટિવલી કાર્યક્રમ અંતર્ગત એન્ટીકરપ્શન બ્યુરોના અધિકારીઓ છેલ્લા 7 વર્ષમાં નોંધાયેલા ગુનાના ફરિયાદીઓ સાથે મુલાકાત કરશે. જેમાં આ લોકોને કોઈ પ્રકારની હેરાનગતિ થાય છે કે નહીં તે અંગે માહિતી મેળવશે.
સુમેળ ભર્યું વર્તન કરવાનો રહેશે
ACBએ આ કાર્યક્રમ અંતર્ગત એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. જેમાં ACBમાં આવતા વ્યક્તિ સાથે સુમળ ભર્યું વર્તન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે આદેશ આપવામાં આવ્યો છે કે, ફરિયાદીને ફરિયાદ બાદ આક્ષેપિત વિભાગ દ્વારા કોઈપણ હેરાનગતિ નહીં થાય તેવી ખાતરી આપો. આ ઉપરાંત ફરિયાદીને ફરિયાદના કામે મદદરૂપ થવા વાહન કે અન્ય કોઈ લોજિસ્ટિક સપોર્ટની જરૂર હોય તો સબંધિત એકમનાં મદદનીશ નિયામકએ વ્યવસ્થા કરી આપવી. જરૂર જણાયે ફરિયાદીને ઇલેક્ટ્રીક સંસાધનોના ઉપયોગ બાબતે સમજ કરવાની રહેશે. ઉપરાંત ફરિયાદીને ફરિયાદ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલે ત્યાં સુધી આરોપી તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે તેની ખાતરી આપવી.
વાંચવા જેવું: Padma Awards: પદ્મ પુરસ્કારનું એલાન: હાથીની પરી સહિત 34ને મળશે પદ્મ શ્રીનું સન્માન
સબંધિત એકમને વ્યવસ્થા કરવાની રહેશે
ફરિયાદીને ફરિયાદના કામે મદદરૂપ થવા વાહન કે અન્ય કોઈ લોજિસ્ટિક સપોર્ટની જરૂર હોય તો સબંધિત એકમનાં મદદનીશ નિયામકએ વ્યવસ્થા કરી આપવાની રહેશે. સાથો સાથ જરૂર જણાયે ફરિયાદીને ઇલેક્ટ્રીક સંસાધનોના ઉપયોગ બાબતે સમજ કરવાની રહેશે. ઉપરાંત ફરિયાદીને ફરિયાદ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલે ત્યાં સુધી આરોપી તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે તેની ખાતરી આપવી પડશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ