બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / સુરત / A new revelation in the Surat police constable Harshina Chaudhary suicide case
Vishal Khamar
Last Updated: 04:51 PM, 20 March 2024
સિંગણપુર પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરી ના આપઘાત મામલામાં નવો ખુલાસો સામે આવ્યો છે પોલીસ તપાસમાં કેટલીક ચોકાવનારી વિગતો અને વાતો સામે આવી છે જેમાં મૃતક પોલીસ કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરીને સુરત શહેર પોલીસના જ અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોઈએ સાથે પ્રેમ સંબંધ હતા અને તેને પગલે બંને વચ્ચે થોડું મન દુઃખ થયા બાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરીએ આપઘાત કરી લીધો હોવાનું વિગતો સામે આવી છે
મૃતક મહિલાને સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા યુવક સાથે પ્રેમ સબંધ હતો
સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરીએ બે દિવસ પૂર્વે આપઘાત કરી લીધો હતો ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યાની ઘટનામાં પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે. તપાસમાં એવી વિગતો સામે આવી છે કે મૃતક મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરીને સુરત સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પ્રશાંત ભોયે નામના એક પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમ સંબંધ હતો. જોકે છેલ્લા દસ દિવસથી બંને વચ્ચે કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. તેનું કારણ પણ એ જ હતું કે પ્રશાંત ભોએને અકસ્માત થતા તે પોતાના વતન ડાંગમાં જતો રહ્યો હતો અને ત્યાં તેના ગામમાં મોબાઇલ નેટવર્ક આવતું ન હતું.
વધુ વાંચોઃ ગુજરાતીઓ સાચવજો! આગામી 5 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં છે ભારે હીટવેવની આગાહી
બંને વચ્ચે સંપર્ક કરાઈ ગયો હતો
બીજી તરફ પોલીસ તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે પ્રશાંત ભોએ અને હર્ષિના વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા. જેમાં પ્રશાંત ભોએ સતત હરશીનાને લગ્ન કરી લેવા માટે દબાણ કરતો હતો. બીજી તરફ હસીના ચૌધરી લગ્ન માટે તૈયાર ન હતી. અને થોડી રાહ જોવા જણાવતો હતી. જોકે આ મામલે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. એ દરમિયાનમાં પ્રશાંત ભોઈને અકસ્માત થયો. અને દસ દિવસ સુધી તે પોતાના વતન ડાંગના ગામમાં જતો રહ્યો હતો. જેને લઇને બંને વચ્ચે સંપર્ક કપાઈ ગયો હતો. આ મુદ્દે જ માઠું લાગી આવતા અરસીનાએ આત્મહત્યા કરી લીધી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે જોકે સમગ્ર ઘટનામાં સાચું શું છે એ હજુ પોલીસ તપાસ પૂરી થયા પછી જ ખબર પડશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime