બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / A battery made from nuclear waste that can last 28000 years
Shalin
Last Updated: 05:56 PM, 11 September 2020
આ બેટરીને ફોન, ઇલેક્ટ્રિક ઘડિયાળ, ઇલેક્ટ્રિક કારમાં લગાવી દેવામાં આવે તો તેને ફરી ક્યારેય ચાર્જ કરવાની જરૂર નહીં પડે. આ બેટરી વિષેની ખાસ વાતો જાણવા જેવી છે.
હવે તમને તમારો મોબાઈલ ચાર્જ કરવાની જરૂર નહીં પડે
આજના જમાનામાં આપણો અડધો સમય આપણા ફોન, ઇલેક્ટ્રિક ઘડિયાળ કે ઇલેક્ટ્રિક ગાડીને ચાર્જ કરવામાં જતો રહે છે. જો કે આ ઝંઝટમાંથી જલ્દી જ આઝાદી મળવા જઈ રહી છે. હવે તમને તમારો મોબાઈલ ચાર્જ કરવાની જરૂર નહીં પડે.
એકવાર પૂર્ણ ચાર્જ થયા પછી તેને 28 હજાર વર્ષ ચાર્જ કરવાની જરૂર નહીં
કેલિફોર્નિયાની એક કંપનીએ એવી બેટરી બનાવી છે કે એકવાર પૂર્ણ ચાર્જ થયા પછી તેને 28 હજાર વર્ષ ચાર્જ કરવાની જરૂર રહેશે નહીં. એટલે કે જો આ બેટરીઓ કોઈ ફોનમાં અથવા ઘડિયાળમાં ઇન્સ્ટોલ કરેલી હોય, તો પછી તેઓ 28 હજાર વર્ષ સુધી ડિસ્ચાર્જ થશે નહીં.
કાર્બન 14 ન્યુક્લિયર વેસ્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવી
NDB કંપનીએ આ બેટરી બનાવી છે. તે ખાસ રીતે બનાવાઈ છે. આ બેટરીને એક આર્ટિફિશ્યલ ડાયમંડના નાનકડા બોક્સમાં કાર્બન 14 ન્યુક્લિયર વેસ્ટમાં ફસાવીને બનાવવામાં આવી છે.
બેટરી ઉપર હીરાનું કોટિંગ
આને સેલ્ફ-ચાર્જિંગ બેટરી પણ કહેવામાં આવે છે. જે કંપની આ બેટરી બનાવે છે તે કહે છે કે તેનાથી ઘણા પ્રકારનાં ઉપકરણો ચલાવી શકાય છે. આ બેટરી સાથે, ફોન, ઘડિયાળો, લેપટોપ, કેમેરા, મોનિટર અને અન્ય ઘણા પ્રકારના ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલી શકે છે.
કંપનીનો દાવો છે કે આ બેટરી સંપૂર્ણ સલામત છે. તેના ઉપર રેડિયોએક્ટિવ હીરાનું કોટિંગ કરવામાં આવ્યું છે. જેના કારણે રેડિયોએક્ટિવ કિરણો લીક થશે નહીં. પાવર બેટરીની અંદર જ સ્ટોર કરવામાં આવશે. આ પાવર તેમાં હીરા અને કાર્બનના રિએક્શનને કારણે પ્રોડ્યુસ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT