બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

VTV / 4 siblings killed in wall collapsed in uttarpradesh etawah

કરૂણ / ભારે વરસાદનાં કારણે દીવાલ ધરાશાયી, માં-બાપ વિહોણાં ચાર સગા ભાઇ બહેનનાં મોત, ઇટવાની હ્ર્દયદ્રાવક ઘટના

Mayur

Last Updated: 09:36 AM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં ભારે વરસાદનાં કારણે દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં ચાર સગા ભાઈ બહેનોએ જીવ ગુમાવ્યો હતો. તેઓનાં માતાપિતા હયાત ન હતા અને આ ઘટના બાદ દાદી પણ ઇજાગ્રસ્ત થયા હતા.

  • ઉત્તર પ્રદેશના ઇટાવા દીવાલ ધરાશાયી 
  • ચાર સગા ભાઈ-બહેનોનાં મોત
  • ચારેય બાળકો અનાથ હતા

ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ વધી છે. તાજેતરની ઘટનાઓમાં કાચા મકાન અને પેટ્રોલ પંપની દિવાલ ધરાશાયી થતાં દંપતી સહિત છ લોકોના મોત થયા હતા.

ચાર સગા ભાઈ-બહેનોનાં મોત

મૃતકોમાં ચાર સગા ભાઈ-બહેનોનો પણ સમાવેશ થાય છે. ઈટાવા જિલ્લા મેજિસ્ટ્રેટ અવનીશ રાયે 6 લોકોના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું કે ઈટાવાના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચંદ્રપુરા ગામમાં બપોરે 1 વાગ્યાની આસપાસ એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થવાને કારણે 6 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ગામલોકોએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો ત્યાં સુધીમાં 4 નિર્દોષ ભાઈ-બહેનોના મોત થઈ ચૂક્યા હતા.

આ અકસ્માતમાં તેની દાદી અને અન્ય એક માસૂમ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હેડક્વાર્ટર ડો.ભીમરાવ આંબેડકર સરકારી સંયુક્ત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકોમાં શિંકુ 10 વર્ષનો, અભિ 8 વર્ષનો, સોનુ 7 વર્ષનો અને આરતી 5 વર્ષનો સમાવેશ થાય છે. આ દર્દનાક અકસ્માતમાં 75 વર્ષીય શારદા દેવી અને 4 વર્ષીય ઋષભ ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુનો ભોગ બનેલા ચાર ભાઈ-બહેનના માતા-પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. માતા-પિતાના અવસાન પછી આખું ઘર નિરાધાર બની ગયું. બધા બાળકો તેમની દાદી સાથે રહેતા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ