બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / 107 terrorist eliminated till now in Jammu and Kashmir this year
vtvAdmin
Last Updated: 09:46 AM, 8 June 2019
જ્યારે 2018ની વાત કરીએ તો 1,629 વખત પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સેના દ્વારા જમ્મૂ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવામાં આવી રહ્યું છે. જમ્મૂ-કશ્મીરમાં સેના દ્વારા આતંકીઓ વિરૂદ્ધ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સેનાએ પુલાવામામાં ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ જમ્મૂ-કશ્મીરમાં ભારતીય સુરક્ષાબળે આ વર્ષે (2019) 6 જૂન સુધીમાં સુરક્ષાબળે 107 જેટલા આતંકીઓનો ઘાટીમાંથી સફાયો કર્યો છે. મળતા પ્રાપ્ત અહેવાલ મુજબ, વર્ષ 2019માં સુરક્ષાબળે 107 જેટલા આતંકીઓનો ઘાટીમાંથી સફાયો કર્યો છે.
જ્યારે વર્ષ 2018માં સુરક્ષાબળે કુલ 254 જેટલા આતંકીઓને ઠાર માર્યા હતા. તો બીજી તરફ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સીઝફાયરના ભંગ પર નજર કરવામાં આવે તો પાકિસ્તાને 6 જૂન સુધીમાં કુલ 1 હજાર 170 વખત સીઝફાયરનો ભંગ કર્યો છે. વર્ષ 2018માં 1 હજાર 629 વખત પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કર્યો હતો.
ગૃહ મંત્રાલયે પણ 12 ડિસેમ્બર 2018ના રોજ કહ્યું હતુ કે, 2018માં આતંકી ઘટનાઓની સંખ્યા પાછલા વર્ષની તુલનામાં બે ગણી થઈ ગઈ છે. પણ દુઃખદ વાત એ છે કે વર્ષ 2018માં આતંકીઓ સામેની કાર્યવાહીમાં 86 જવાનો પણ શહીદ થયા હતા. જ્યારે 37 નાગરિકોનાં પણ મોત થયા હતા. જ્યારે વર્ષ 2018માં સેના સામે પથ્થરમારાની 750 ઘટનાઓ નોંધાઈ છે. જ્યારે વર્ષ 2017માં સુરક્ષાબળે ચલાવેલા ઓપરેશન ઓલ આઉટમાં 329 આતંકીઓનો સફાયો થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT