બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:26 PM, 29 December 2023
ADVERTISEMENT
જયોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ખૂબ જ મહત્વ હોય છે. તેવામાં હાલમાં કુંભ, મકર અને મીન રાશિમાં શનિની સાડેસાતી ચાલી રહી છે. જે વર્ષ 2025ના માર્ચ મહિના સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન શનિની સાડાસાતીને લઈને આ રાશિના વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાની નોબત આવી શકે છે. ત્યારે શનિના આ પ્રકોપથી બચવા માટે આ રાશિના લોકોએ રોજ હનુમાનજીની પૂજા કરી અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.

ADVERTISEMENT
હનુમાનજીની પૂજા કરવાથી થાય છે ફાયદા
ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી શનિની કોઈ અશુભ અસર થતી નથી. ધાર્મિક કથાઓમાં એવો ઉલ્લેખ છે કે, શનિદેવને રાવણે લંકામાં બંદી બનાવ્યા હતાં આ વેળાએ હનુમાનજીએ જ શનિદેવને રાવણના બંધનમાંથી છોડાવ્યા હતા આ દરમિયાન શનિદેવે હનુમાનજીને વચન આપી કહ્યું હતું કે આજથી મારી અશુભ અસર તમારા ભક્તો પર ક્યારેય પડશે નહિ. આ માન્યતા અનુસાર હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.
ADVERTISEMENT
હનુમાન ચાલીસાનો પાઠ કરવો
કળિયુગમાં જાગૃત દેવ તરીકે જેની પૂજા કરવામાં આવે છે હનુમાનજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય તેવી માન્યતા રહેલી છે. તેમાં પણ હનુમાનને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.સાથે જ શ્રી રામ અને માતા સીતાજીનું પણ સ્મરણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ પર ભગવાન હનુમાનની કૃપા હોય છે તેને જીવનમાં મુશ્કેલી આવતી આટકે છે. આથી કુંભ, મકર અને મીન રાશિના લોકોએ દરરોજ શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને શ્રી રામ અને માતા સીતાના નામનું સ્મરણ કરવું જોઈએ. વાંચો હનુમાન ચાલીસા...
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.