બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / સ્પોર્ટસ / Cricket / world heart day 2023 know habits that harm your heart can also cause heart attack
Arohi
Last Updated: 11:42 AM, 23 September 2023
હૃદય રોગોનો ખતરો સમયની સાથે ઝડપથી વધી રહ્યો છે. સાથે જ હવે ઓછા ઉંમરના લોકો પણ તેનો શિકાર થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે કે હૃદય રોગ વૈશ્વિક સ્તર પર મૃત્યુના પ્રમુખ કારણોમાંથી એક છે.
જેના હેઠળ આપણી લાઈફસ્ટાઈલ અને આહાર બગડતો જઈ રહ્યો છે. તેનાથી હૃદય સ્વાસ્થ્યને સૌથી વધારે પ્રભાવિત કરે છે. હાર્ટ હેલ્થ ખૂબ જ જરૂરી છે સાથે જ દિનચર્યા પર પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.
હૃદય રોગોના વધતા વૈશ્વિક જોખમોને લઈને લોકોને એલર્ટ કરવા અને જાગૃત કરવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે ઉજવવામાં આવે છે.
20થી ઓછી ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકનો ખતરો
હાર્વર્ડ નિષ્ણાંત કહે છે કે આપણે બધા જાણે અજાણે એવી ખોટી આદતોનો શિકાર થઈ જાય છે જે આપણા હૃદયને નુકસાન પહોંચાડી રહી છે. આજ કારણ છે કે 20થી ઓછી ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટની સમસ્યા રિપોર્ટ રહે છે. નિષ્ણાંતો પાસેથી જાણો કે કઈ આદતોના કારણે આપણા હૃદયના સ્વાસ્થ્ય પર અસર પડે છે.
અભ્યાસમાં શું જાણવા મળ્યું?
હાર્વર્ડ નિષ્ણાંત કહે છે કે જીવનશૈલીમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવાથી હૃદય રોગના ખતરાને ઓછો કરી શકાય છે સાથે જ તેનાથી લાંબા જીવનમાં પણ મદદ મળે છે. મહિલાઓમાં હૃદય રોગોના જોખમને લઈને કરેલા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું કે સ્વસ્થ્ય જીવન અને ધુમ્રપાન ન કરનાર મહિલાઓ જે નિયમિત રીતે વ્યાયામ કરે છે અને સ્વસ્થ્ય આહાર લે છે તેમનામાં હાર્ટ એટેક આવવા અને હૃદય રોગના કારણે ખતરો 83% ઓછો જોવા મળે છે. પુરૂષોમાં આ પ્રકરાના અભ્યાસના પરિણામ લગભગ સમાન હતા.
તમાકુ ઉત્પાદનોથી બચો
હાર્વર્ડ નિષ્ણાંતોએ જણાવ્યું કે સિગરેટ, સિગાર અને તમાકૂ ઉત્પાદનોનું સેવન, ખાસ કરીને તેમાંથી નિકળતો ધુમાડો હૃદય રોગ અને ધમનીઓ માટે ખૂબ જ હાનિકારક હોય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ધુમ્રપાનની આદતને છોડીને તમે હૃદય અને ફેફસા બન્નેના સ્વાસ્થ્યમાં સુધાર કરી શકો છો. જો તમે ધુમ્રપાન કરો છો તો તેને છોડવાથી પણ હૃદયના સ્વાસ્થ્યમાં સુધાર આવે છે.
શારીરિક શ્રમ ન કરવો
વ્યાયામ અને શારીરિક ગતિવિધિ હૃદય રોગ અને અન્ય ક્રોનિક બીમારીઓ વિરૂદ્ધ સુરક્ષા આપી શકે છે. તમે જેટલું વધારે શારીરિક રીતે સક્રિય રહેશો. ક્રોનિક બીમારીઓનો ખતરો તેટલો જ ઓછો થાય છે. દિવસમાં ઓછામાં ઓછો 30 મિનિટ વ્યાયામ તમારા માટે ફાયદાકારક છે. અભ્યાસમાં મળી આવ્યું છે કે શારીરિક નિષ્ક્રિયતા વાળા લોકોમાં હૃદય રોગના વિકસિત થવાનો ખતરો વધારો હોય છે.
વજન કંટ્રોલમાં રાખવું જરૂરી
શરીરનું વધતુ વજન, ખાસ કરીને પેટની આસપાસ જમા ચરબી તમારા હૃદય પર દબાણ કરે છે અને ડાયાબિટસ-હૃદય રોગોના ખતરાને વધારે છે. જો તમારૂ વજન વધારે છે તો ફક્ત 5થી 10 ટકા સુધી તેને ઓછુ કરવાથી તમારા બીપી અને રક્ત શર્કરામાં મોટો અંતર આવી શકે છે. આ બન્ને સ્થિતિઓ હૃદયના સ્વાસ્થ્યમાં સુધાર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban