બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Work stalled for 8 years: MLA Bhaga Barad officials over incomplete work of Somnath-Bhavnagar highway
Kishor
Last Updated: 10:57 PM, 23 July 2022
ગીર સોમનાથ નેશનલ હાઇવેનું કામ ટલ્લે ચડ્યું હોય તેમ છેલ્લા 8 વર્ષથી ગોકળગતિએ ચાલતું હોવાથી વાહનચાલકોને સમસ્યાનો કોઇ પાર નથી. આ માંમલે લોકોએ અનેક વખત રજૂઆત કરી, વિરોધ કર્યો અને માંગ પણ કરી હતી.પરંતુ આ સમસ્યાનો આજ સુધી નિકાલ આવ્યો નથી અને હાલની સ્થિતિએ વરસાદને લઈને રોડ પર પાંચ-પાંચ ફૂટ જેટલા લાંબા ખાડા પડ્યા છે. ત્યારે ધારાસભ્ય ભગા બારડ એક્શન મોડમાં આવ્યા છે.
ભગા બારડ નેશનલ હાઇવે ઓથોરીટીની ઓફિસ પહોંચ્યા
લોકો રજૂઆત કરી કરીને થકયા હોવા છતાં હાઇવે ઓથોરીટીએ કામ ન કરતા ધારાસભ્ય ભગાભાઇ બારડએ જાતે રોડ રીપેર કર્યો હતો. ઉલ્લેખનિય છે કે 2014થી સોમનાથ-ભાવનગર હાઇવે બની રહ્યો છે.છતા હજુ સુધી કામ પૂર્ણ થયું નથી.આ રોડ પર અધૂરી કામગીરીને લઇ ટ્રાફિક જામની સમસ્યા માથું ઊંચકી રહી છે. આથી ભગા બારડ નેશનલ હાઇવે ઓથોરીટીની ઓફિસ પહોંચ્યા હતા જયા અધૂરી કામગીરીને લઇ અધિકારીઓનો ઉધડો લીધો હતો.
ગીર સોમનાથ નેશનલ હાઇવે બન્યો મોટી સમસ્યા
સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે સ્થિતિ રોડમાં ખાડા નહિ પણ ખાડામાં રોડ હોય તેવી છે. ઉનાથી વેરાવળ જવા માટે માત્ર 80 કિલો મીટર અંતર થાય છે, જે સામાન્ય ફોર વ્હીલમાં બે કલાક થાય છે. પરંતુ અહી 3 : 30 કલાકનો સમય લાગે છે. સોમનાથથી ભાવનગર જતો નેશનલ હાઇવે એટલે હદે બિસમાર થયો છે કે જ્યાં જુઓ ત્યાં ખાડા ખાબોચિયા જ દેખાય છે, તેમાં પણ સોમનાથથી કોડીનારના ડોળાસા સુધીનો રોડની હાલત આટલી બધી ખરાબ બની છે કે ટ્રક, ફોરવહીલ કે પછી એમ્બ્યુલન્સ, એસટી હોઈ સોમનાથથી કોડીનાર જવા માટે માત્ર એકાદ કલાકનો રસ્તો હાલ અઢી કલાક કલાકથી વધુ સમય લે છે. આથી ગામડાના માર્ગેને પણ વખણાવતા નેશનલ હાઇવેના કામ અંગે ઘટતું કરવા લોકોમાં માંગ ઉઠી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો