નોંધનીય છે કે ખેડૂતોની સ્થિતિ મહારાષ્ટ્રમાં બહુ જ દયનીય છે, અવાર નવાર મહારાષ્ટ્રના ખેડૂતોની આત્મહત્યાના બનાવો અને અહેવાલો મીડિયામાં ચમકતા રહે છે, ત્યારે રાજ્યના ખેડૂતો માટે સરકારના એક નિર્ણયથી વધુ મુસીબત ઉભી થયાનો માહોલ ઉભો થયો છે જયારે કે બિયારણ કંપનીઓએ કમાણી કરી લીધી છે. મહારાષ્ટ્રના કૃષિ વિભાગના અધિકારીઓએ સૂત્રોને જણાવ્યું હતું કે રાજ્યના ખેતી વિભાગ પાસે અત્યાર સુધીમાં કુલ 1.16 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ છે.
બિયારણ કંપનીઓની સામે નોંધાઈ 1.16 લાખથી વધુ ફરિયાદો
સોયાબીનનું બિયારણ વાવણી પછી પણ અંકુરિત થતું નથી
કેન્દ્ર સરકારે બિયારણને મંજૂરી આપવાના માપદંડોમાં કર્યો છે ઘટાડો
આ વર્ષે ચોમાસું સારું હોવાથી ખેતીપાક સારો થવાની આશાઓ છે. જો કે મહારાષ્ટ્રના ખેડૂતો માટે સ્થિતિ જો કે કઇંક ઊલટ છે, હફિંગટન પોસ્ટના એક અહેવાલ મુજબ સોયાબીનની ખેતી કરવા વાળા ખેડૂતોને આ વર્ષે બિયારણ ખરાબ નીકળતા ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
ખેડૂતોએ મોટી માત્રામાં બિયારણની ખરીદી કરી હતી
સૂત્રોએ જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં ઘણા એવા ખેડૂતો છે જેમણે ખૂબ જ મોટી માત્રામાં સોયાબીનનું બિયારણ એગ્રો કંપનીઓ પાસેથી લીધું છે અને તેની વાવણી કરતાં આટલા સારા વરસાદ છતાં પણ તે બિયારણ અંકુરિત ન થતાં ખેડૂતોને માથે મોટું આભ તૂટી પડ્યું છે. નોંધનીય છે કે આ મામલે ઘણા ખેડૂતો દ્વારા પોલીસમાં બિયારણ કંપનીઓની વિરુદ્ધમાં ફરિયાદ પણ દાખલ કરાવાઇ હતી.
સૌથી વધુ ફરિયાદો મહારાષ્ટ્રની સરકારી બીજ કંપની સામે
અહેવાલ પ્રમાણે ખેડૂતોની સૌથી વધુ ફરિયાદો મહારાષ્ટ્રની સરકારી કંપની મહાબીજ કોર્પોરેશન અને ઈન્દોર ની એક ખાનગી કંપની ઈગલ સીડ્સની સામે નોંધાઈ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની એક રિપોર્ટ એવું સૂચવે છે કે થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા બિયારણ પ્રમાણીકરણના માપદંડોને ઓછા કરી નાખવામાં આવ્યા છે, ભાજપના સાંસદ નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા માપદંડોમાં કરાયો છે ઘટાડો
પહેલા કોઈ પણ બિયારણના નમૂના માટે 70 ટકા બીજ અંકુરિત થાય તો તેને મંજૂરી આપી દેવામાં આવતી હતી જો કે નવા નિર્ણય પ્રમાણે હવે થી આ મર્યાદા ઘટાડીને 60 ટકા કરી દેવામાં આવી છે. જેને લઈને ઓછી ગુણવત્તા વાળ બિયારણ પણ કૃષિ માર્કેટમાં ખુલ્લેઆમ વેચવા લાગ્યા છે.
આ મામલે મહારાષ્ટ્ર ખેતી વિભાગના અધિકારીઓએ સૂત્રોને જણાવ્યા પ્રમાણે હાલ સુધીમાં રાજ્યમાં કુલ 1.16 લાખથી પણ વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જ્યારે કે ખેતી વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 42 બિયારણ કંપનીઓનીઓ સામે ફરિયાદ નોંધાવાઈ છે, જેમાં મહાબીજ કોર્પોરેશન, ઈગલ સીડ્સ અને ગોલ્ડ સીડ્સ જેવી કંપનીઓ પણ સામેલ છે.