બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Hiren
Last Updated: 09:57 PM, 20 May 2020
લૉકડાઉનને લઇને વાઇનશોપ બંધ છે જેને લઇને પરમીશનવાળી વાઈન શોપમાંથી દારૂનું વેચાણ શરૂ કરવા માટે પ્રોહિબિશન વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, જેતે શહેરના કલેક્ટર અને કમિશનર પાસેથી આ અંગેની માહિતી અને અભિપાર્ય મેળવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં લૉકડાઉનના કારણે દારૂની પરમીટવાળી શોપ પણ બંધ છે ત્યારે પરમીટ ધારકો અને પરમીટ ધરાવતી હોટલોએ પણ સરકારમાં આ અંગે રજૂઆત કરી છે. તેમણે રજૂઆત કરી છે કે પરમીટના દારૂનું ફરીથી વેચાણ શરૂ કરવા દેવામાં આવે.
વાઇનશોપ બંધ હોવાથી હોટલને નુકસાન થઇ રહ્યું હોવાનું પરમીટ ધારકો જણાવી રહ્યા છે. જેથી વાઇનશોપ શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. વ્યકિતઓને વિદેશી દારૂ બિયરની આદતની સાથે હેલ્થ માટે દારૂની પરમીટ આપવામાં આવી હોવાથી આ લોકોની પણ હેલ્થનું ધ્યાન રાખી શરૂ કરવી જરૂરી છે.
દારૂ ન મળવાથી ઉંઘ નથી આવતીઃ પરમીટ ધારકો
દારૂ ન મળવાના કારણે કેટલાક લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. છેલ્લા બે માસથી વાઇન શોપ બંધ હોવાના કારણે વિદેશી દારૂ ન મળવાના કારણે તેઓના આરોગ્ય ઉપર અસર પડી રહી છે. હેલ્થ પરમીટ ધારકોને ઉંઘ ન આવવી સહિતની સમસ્યાઓ થઇ છે. જેથી હેલ્થ પરમીટ ધારકો વાઇન શોપ શરૂ થાય તેની માંગ કરી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ