બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
Priyakant
Last Updated: 10:24 AM, 5 November 2023
Lok Sabha Elections 2023 : લોકસભા ચૂંટણી પહેલા INDIA ગઠબંધનને લઈ દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન હવે 2024ની લોકસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળથી લઈને ઉત્તર પ્રદેશ સુધી ભારતીય જનતા પાર્ટી (BJP) વિરુદ્ધ તૈયાર કરવામાં આવેલી વિપક્ષી એકતામાં કોઈ સંકલન નથી. પહેલા ડાબેરીઓએ બંગાળમાં TMC સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કરવાનો ઇનકાર કર્યો હતો. આ તરફ હવે ઉત્તર પ્રદેશના નવા કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયના આગમન પછી સમાજવાદી પાર્ટી (SP) સાથે કોંગ્રેસનું અંતર સતત વધી રહ્યું છે. એક નવો વિવાદ ત્યારે થયો જ્યારે સપાને ફટકો મારતાં લખીમપુર ખેરીથી ત્રણ વખતના સાંસદ અને અગ્રણી કુર્મી (OBC) નેતા રવિ પ્રકાશ વર્માએ પાર્ટી છોડી દીધી. તેઓ હવે કોંગ્રેસમાં જોડાવા માટે તૈયાર છે.
રવિ પ્રકાશ વર્માએ સમાજવાદી પાર્ટી છોડી
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ સાથે સપાની તાજેતરની તકરાર પછી આ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે. રવિ પ્રકાશ વર્માએ તેમની 33 વર્ષની પુત્રી પૂર્વી વર્મા સાથે એસપી છોડી દીધી છે. બંનેએ દાવો કર્યો હતો કે, તેમને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે, અખિલેશ યાદવની આગેવાની હેઠળની પાર્ટી જમીન પર લોકોથી અલગ થઈ ગઈ છે. તે તેના સ્થાપક સિદ્ધાંતોથી ભટકી ગયું છે. આ બંને સોમવારે કોંગ્રેસમાં જોડાશે.
રવિ વર્મા યુપીમાં મોટા કુર્મી નેતા
રવિ પ્રકાશ વર્માનું સપામાંથી બહાર નીકળવું મહત્વપૂર્ણ છે કારણ કે, તેઓ રાજ્યમાં જાણીતા કુર્મી નેતા છે. એક અગ્રણી રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા બાલગોવિંદ વર્મા લખીમપુર ખેરીથી ચાર વખત સાંસદ હતા. તેઓ ઈન્દિરા ગાંધી કેબિનેટમાં મંત્રી પણ હતા. 1980માં બાલગોવિંદના અવસાન પછી તેમની પત્ની ઉષા એ જ મતવિસ્તારમાંથી ત્રણ વખત ચૂંટણી લડ્યા અને જીત્યા. બાદમાં રવિ પ્રકાશ વર્માએ આ સીટ ત્રણ વખત જીતીને પોતાનો રાજકીય વારસો સંભાળ્યો.
2014 નીલોકસભા ચૂંટણીમાં વર્માને લખીમપુર ખેરીમાં અજય મિશ્રા ટેનીએ હરાવ્યા હતા. તે જ સમયે પૂર્વીને 2019માં પણ આ જ સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વીએકહ્યું, હું અખિલેશ યાદવના કામથી પ્રભાવિત થઈને રાજનીતિમાં આવી હતી, પરંતુ હવે મને કહેતા દુઃખ થાય છે કે, સમાજવાદી પાર્ટી સમાજવાદના મૂળ મૂલ્યોથી ભટકી ગઈ છે.
ખડગે-પ્રિયંકા સાથે પણ મુલાકાત
કોંગ્રેસ સાથેના તેમના પરિવારના જૂના સંબંધોનો ઉલ્લેખ કરતા પૂર્વીએ તેમના પગલાને ઘર વાપસી તરીકે ગણાવ્યા. સૂત્રોએ જણાવ્યું કે, તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના વડામલ્લિકાર્જુન ખડગેઅને AICC મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળી ચૂક્યા છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ દાવો કર્યો હતો કે, વધુ એસપી નેતાઓ તેમના સંપર્કમાં છે, જેઓ ટૂંક સમયમાં પાર્ટીમાં જોડાઈ શકે છે.
શું છે સમાજવાદી પાર્ટીનો આરોપ ?
સપાનો આરોપ છે કે, વર્માએ પોતાના અંગત હિતમાં પાર્ટી છોડી દીધી. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ પણ કોંગ્રેસને ઘેરી છે. તેમણે કહ્યું, INDIA ગઠબંધનના સભ્યો તરીકે અમારે ભાજપ સામે લડવું છે, પરંતુ કોંગ્રેસ તેના બદલે સપાને નિશાન બનાવી રહી છે અને અમને તોડી રહી છે. એક જોડાણ ધર્મ છે, જે તેઓ આપણને યાદ કરાવે છે પણ પોતે ભૂલી જાય છે. અમે ગઠબંધનમાં અમારા પોતાના ભાગીદારો પર દબાણ નથી કરતા. આ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ તાજેતરમાં એક રાજકીય કાર્યક્રમ દરમિયાન INDIA ગઠબંધન પ્રત્યે કોંગ્રેસની ઉદાસીનતા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ અત્યારે માત્ર પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને ચિંતિત છે. તે લોકસભા વિશે પણ વિચારતી નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ