બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / Wife cannot sit idle and seek entire maintenance from estranged husband : Karnataka High Court
Hiralal
Last Updated: 10:24 PM, 5 July 2023
અલગ થયા બાદ પત્ની કામ ન કરે અને પતિ પાસેથી આખું નિર્વાહ ભથ્થું માગી શકે કે નહીં તે અંગે હાઈકોર્ટે એક ખૂબ મજાની વાત કરી છે. ભરણપોષણ સંબંધિત એક કેસની સુનાવણી પર કર્ણાટક હાઈકોર્ટે એવું કહ્યું કે પત્ની નવરી બેસીને પતિ પાસેથી બધું ભરણપોષણ ન માગી શકે, આવી મહિલાઓ રોજીરોટી માટે કામ પણ કરવું જોઈએ.
શું હતો કેસ
કોર્ટનું કહેવું છે કે પત્ની ફક્ત મદદ યોગ્ય ભથ્થાની માંગ કરી શકે છે. મહિલા તરફથી હાઈકોર્ટમાં ભરણપોષણ અને વળતરની રકમ ઘટાડવાના સેશન્સ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટે મહિલાને આપવામાં આવતા ભથ્થાની રકમ 10,000થી ઘટાડીને 5,000 રુપિયા તથા વળતર 3 લાખથી ઘટાડીને 2 લાખ રૂપિયા કરવાનો પણ આદેશ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે વળતર ઓછું છે અને કોર્ટે કોઈ ખુલાસો આપ્યા વિના તેમાં ઘટાડો કર્યો છે.
પત્ની કેટલું ભરપોષણ માગી શકે
આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ રાજેન્દ્ર બદામીકરને જાણવા મળ્યું કે મહિલા લગ્ન પહેલા કામ કરતી હતી પરંતુ પતિથી અલગ થઈને રહેતા તે કોઈ કામ કરતી નહોતી, આખો દિવસ નવરી જ રહેતી હતી. જસ્ટીસે કહ્યું કે આ મહિલાએ કામ કરવું જોઈએ, તેણે પતિ પાસેથી સંપૂર્ણ ભરણપોષણ ન માગવું જોઈએ. તે કાયદેસર રીતે આજીવિકા માટે કામ કરવા માટે બંધાયેલી છે અને તેના પતિ પાસેથી ફક્ત મદદ યોગ્ય ભરણપોષણ માંગી શકે છે. આ મહિલા પોતાની સાસુ અને અપરિણીત નણંદ સાથે રહેવા તૈયાર ન હોવાનું પણ હાઇકોર્ટે શોધી કાઢ્યું હતું. કોર્ટનું કહેવું છે કે પ્રોવિઝન સ્ટોર ચલાવનાર પતિ પર તેની માતા અને અપરિણીત બહેનની પણ જવાબદારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ