બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / why teachers write with red pen why students use blue black pen
Manisha Jogi
Last Updated: 11:34 AM, 30 April 2023
બાળકોને શાળામાં લાલ પેનથી A+ મળે તો ખુશી જ ખુશી, પરંતુ આ જ લાલ પેનથી મોટું મીંડુ આવે તો બાળક રડમસ અને દુખી થઈ જાય છે. ટીચર બાળકોની નોટબુકમાં લાલ રંગથી કંઈપણ લખે તો બાળક અને તેના વાલી માટે ખૂબ જ અગત્યનો વિષય બની જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ટીચર લાલ પેનનો જ શા માટે ઉપયોગ કરે છે? વિદ્યાર્થીઓ હંમેશા પીળી અથવા કાળા રંગની પેનનો જ ઉપયોગ શા માટે કરે છે? આ બાબતે અહીંયા એક ખાસ લેખ રજૂ કરવામાં આવ્યો છે. આ બાબતે કોઈ ખાસ કારણ રજૂ કરવામાં આવ્યું નથી, પરંતુ તે માટે અંદાજો લગાવવામાં આવે છે.
લાલ પેનનો ઉપયોગ
વિદ્યાર્થીઓ વાદળી અને કાળા રંગની પેનનો ઉપયોગ કરે છે. આ કલર ડાર્ક કલર છે, જે સફેદ રંગના કાગળ પર કોન્ટ્રાસ્ટમાં રહે છે. જેનાથી કાગળ પર તમામ બાબતો સરળતાથી વાંચી શકાય છે. ટીચર લાલ પેનનો ઉપયોગ શા માટે કરે છે? ટીચરે વિદ્યાર્થીઓનું લખાણ ચેક કરવાનું રહે છે, આ કારણોસર વાદળી અથવા લાલ પેનનો ઉપયોગ કરવામાં આવે તો તે વિદ્યાર્થીઓના લખાણ સાથે મેચ થઈ જાય છે. જેથી વિદ્યાર્થીનું લખાણ અને ટીચરની નોટને અલગ પાડવા માટે આ પ્રકારે પેનનો ઉપયોગ કરવામાં આવે છે. લાલ કલર ઓથોરિટીનો ગણવામાં આવે છે, આ કારણોસર અન્ય કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ કલરથી જે પણ નોટ લખવામાં આવે છે, તેને ગંભીરતાથી લેવામાં આવે છે. જેથી બાળકોની સાથે સાથે પરિવારજનો પણ આ નોટને ગંભીરતાથી ધ્યાનમાં લે છે.
લાલ રંગ
લાલ કલરની ગંભીરતા અને બાળકો પર થતી અસર અલગ અલગ હોય છે. ધ સોશિયલ સાયન્સ જર્નલમાં એક પેપર પ્રકાશિત થયું હતું. આ પેપરમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર રિચર્ડ ડ્યૂક જણાવે છે કે, લાલ કલરથી વિદ્યાર્થીઓ અને ટીચરના સંબંધ પર નકારાત્મક અસર ઊભી થાય છે. લાલ કલરથી વિદ્યાર્થીઓના ઈમોશન પર અસર પડે છે. આ કારણોસર અમેરિકામાં કોઈપણ સૂચના અથવા સુધારા વિશેની નોટ લખવા માટે વાદળી રંગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ટીચરને લાલ પેનનો ઉપયોગ કરવાની ના પાડવામાં આવી રહી છે. પ્રાચીન કોરિયન માન્યતા અનુસાર લાલ કલરથી કોઈ વ્યક્તિનું નામ લખવામાં આવે તો તે વ્યક્તિનું મોત થઈ જાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ