બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Arohi
Last Updated: 01:03 PM, 25 November 2022
જો તમે મુસાફરી કરવાનું પસંદ કરો છો તો તમારે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી છે. ટ્રાવેલ ઈન્સ્યોરન્સ એર ટિકિટ તેમજ રેલ ટિકિટ અને બસ ટિકિટ પર લઈ શકાય છે. આ ઈન્શ્યોરન્સ સાથે, તમારા ખોવાયેલા સામાનની ભરપાઈ થઈ શકે છે. જો તમે દુર્ભાગ્યે અકસ્માતનો ભોગ બનો તો સારવારનો ખર્ચ પણ મળે છે અને મૃત્યુના કિસ્સામાં આશ્રિતોને વળતરમાં આર્થિક મદદ મળે છે.
1 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં થાય છે રેલવે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ
જો તમે ટ્રેનથી મુસાફરી કરી રહ્યા છો તો તે ઈન્શ્યોરન્સ એ યાત્રીઓને મળે છે. જેઓ ઑનલાઇન રેલ ટિકિટ બુક કરે છે. પરંતુ એવા ઘણા ઓછા લોકો છે જેઓ રેલ્વે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ વિકલ્પ પસંદ કરે છે. તેનું કારણ એ છે કે તેઓ તેના વિશે જાણતા નથી.
1 રૂપિયાથી ઓછી કિંમતના આ વીમામાં યાત્રીને 10 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. જો તમે તમારી ટિકિટ બુક કરાવતી વખતે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ કરો છો, તો ઈન્સ્યોરન્સ કંપની ટ્રેન દુર્ઘટનાની સ્થિતિમાં કોઈપણ પ્રકારના નુકસાન માટે પેસેન્જરને વળતર આપે છે.
આ રીતે કરાવો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ
જ્યારે તમે ઓનલાઈન ટિકિટ બુક કરો છો, ત્યારે ટ્રાવેલ ઈન્સ્યોરન્સનો વિકલ્પ વેબસાઈટ અને એપ પર ઉપલબ્ધ હોય છે. ઘણીવાર લોકો આ વિકલ્પ પર ધ્યાન આપતા નથી. ટિકિટ બુક કરતી વખતે વીમાનો વિકલ્પ જરૂર પસંદ કરો. વીમા માટે તમારી પાસેથી માત્ર થોડા પૈસા વધુ લેવામાં આવે છે. વીમા વિકલ્પ પસંદ કરવા પર, તમારા મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી પર એક લિંક મોકલવામાં આવશે.
આ લિંક વીમા કંપની દ્વારા મોકલવામાં આવશે. આ લિંક પણ જઈને તમારે ત્યાં નોમિનીની વિગતો ભરવાની રહેશે. કારણ કે વીમા પોલિસીમાં નોમિની હોય તો જ વીમાનો ક્લેમ મળવામાં સરળતા રહે છે.
કેટલી મળે છે ક્લેમ એમાઉન્ટ
જો રેલ્વે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ હોય તો મુસાફરી દરમિયાન કોઈ અકસ્માત થાય તો ઈન્સ્યોરન્સ કંપની ટ્રેન અકસ્માતમાં મુસાફરના નુકસાનની ભરપાઈ કરે છે. જો કોઈ યાત્રી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામે છે તો 10 લાખ રૂપિયા વીમા રકમ તરીકે મળે છે.
જો રેલ્વે મુસાફર સંપૂર્ણ રીતે વિકલાંગ થઈ જાય તો પણ વીમા કંપની તેને 10 લાખ રૂપિયા આપે છે. ત્યાં જ આંશિક અપંગતાના કિસ્સામાં, 7.5 લાખ રૂપિયા અને ઈજાના કિસ્સામાં, 2 લાખ રૂપિયા હોસ્પિટલના ખર્ચ તરીકે આપવામાં આવે છે.
નોમિની વિના નહીં મળે રકમ
ટ્રેન અકસ્માતના કિસ્સામાં ઘાયલ વ્યક્તિ, નોમિની અથવા તેના ઉત્તરાધિકારી વીમાનો ક્લેમ કરી શકે છે. ટ્રેન અકસ્માતના 4 મહિનાની અંદર વીમાનો ક્લેમ કરી શકાય છે. તમે વીમા કંપનીના કાર્યાલયમાં જઈને વીમા માટે ક્લેમ દાખલ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ