બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Priyakant
Last Updated: 02:56 PM, 1 March 2024
Qatar 8 Indian Nevi Officers : કતારમાં મૃત્યુદંડની સજા પામેલા ભૂતપૂર્વ ભારતીય સૈનિકોની સજા માફ કરવામાં આવી છે. આ સમાચારને ભારતની મોટી રાજદ્વારી જીત માનવામાં આવી રહી છે. અહીં એક નોંધનીય વાત એ છે કે, અત્યાર સુધી 8 ભારતીય નાગરિકોમાંથી માત્ર 7 જ ભારત પરત આવી શક્યા છે. 12 ફેબ્રુઆરીએ 7 નાગરિકો ભારત પરત ફર્યા હતા. પરંતુ હજુ સુધી એક નાગરિક પરત ફરી શક્યા નથી. હવે ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ આઠમા ભારતીય નાગરિકની વાપસી થશે.
#WATCH | MEA Spokesperson Randhir Jaiswal says, "About the Indian national in Qatar, all 8 Indian nationals who were involved in the Dahra Global case, they have been released. 7 of them have returned to India. The 8th Indian national has certain requirements to fulfill. He will… pic.twitter.com/8KNBDcuuRj
— ANI (@ANI) February 29, 2024
શું હતો સમગ્ર મામલો?
કતારની અદાલતે 26 ઓક્ટોબરે ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ તમામ કતારની કંપની અલ દહરામાં કામ કરતા હતા અને વર્ષ 2022માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ભારતે આ સજા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. કરાતની એપેલેટ કોર્ટે 28 ડિસેમ્બરે મૃત્યુદંડમાં ફેરફાર કર્યો હતો અને ભૂતપૂર્વ નૌકાદળના કર્મચારીઓને વિવિધ શરતોની કેદની સજા સંભળાવી હતી. આખરે આ ભારતીય નાગરિકોની સજા માફ કરવામાં આવી અને તેમાંથી 7 ભારત પરત ફર્યા.
જાણો શું કહ્યું વિદેશ મંત્રાલયે ?
ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, આઠમા ભારતીય નાગરિકે કેટલીક ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની હોય છે. તે ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તે પરત ફરશે. તેમણે કહ્યું કે, જેમ તમે જાણો છો, અલ દહરા ગ્લોબલ કેસમાં સંડોવાયેલા તમામ આઠ ભારતીય નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. તેમાંથી સાત ભારત પરત ફર્યા છે. તમને જણાવી દઈએ કે, PM મોદીએ તાજેતરમાં કતારની મુલાકાત લીધી હતી અને 8 ભારતીયોની મુક્તિ માટે કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાનીનો આભાર વ્યક્ત કર્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime