બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / What is the impact of the truckers' strike in Gujarat?

હડતાળની અસર / ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ, તો આ શહેરમાં અનાજને લઈને ચિંતા: ગુજરાતમાં ટ્રકચાલકોની હડતાળને લઈને ક્યાં કેવી અસર

Priyakant

Last Updated: 12:35 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hit And Run New Law Latest News: ટ્રકચાલકોની હડતાળને લઈ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ છે તો વડોદરામાં અનાજનો જથ્થો અટવાય તેવી વેપારીઓને ચિંતા, ટ્રક ચાલકોની હડતાળની સુરતમાં નહીવત અસર

  • ટ્રકચાલકોની હડતાળને લઈ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ 
  • વડોદરામાં અનાજનો જથ્થો અટવાય તેવી વેપારીઓને ચિંતા
  • સુરતમાં પેટ્રોલ-ડીઝલનો પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ 

Hit And Run New Law : ભારતીય ન્યાય સંહિતાના હિટ એન્ડ રન પર કરવામાં આવેલી નવી જોગવાઈનો હાલ ગુજરાત સહિત દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ નવા નિયમ મુજબ જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ સિવાય તેણે દંડ પણ ભરવો પડશે. જેને લઈ ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હળતાળની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર થઈ છે. વિગતો મુજબ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ છે તો વડોદરામાં ટ્રક ચાલકોની હડતાળને લઈ અનાજનો જથ્થો અટવાય તેવી વેપારીઓને ચિંતા છે. જોકે ટ્રક ચાલકોની હડતાળની સુરતમાં નહીવત અસર જોવા મળી છે. સુરતમાં પેટ્રોલ-ડીઝલનો પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ સામે આવ્યું છે. 

ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ છે. આ તરફ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ટ્રાન્સપોર્ટની હડતાળને પગલે યાર્ડમાં ડુંગળી ન લાવવા સૂચના આપી હતી. જોકે હવે ડુંગળીની હરાજી ન થતા ખેડૂતો યાર્ડની ઓફિસે પહોંચ્યાં અને ડુંગળીની હરાજી ચાલુ કરવા યાર્ડના સેક્રેટરીને રજૂઆત કરી હતી.

વડોદરામાં વેપારીઓ ચિંતિત
આ તરફ ટ્રક ચાલકોની હડતાળને લઈ વડોદરામાં અનાજનો જથ્થો અટવાય તેવી વેપારીઓને ચિંતા છે. હાલમાં માલ પુરતા પ્રમાણમાં ન મળે તો હાલાકી થઈ શકે છે. હાથી ખાના અનાજ માર્કેટ પ્રમુખ નિમેષ મહેતાએ કહ્યું કે, હાલમાં વડોદરામાં હડતાળની અસર નથી. જોકે દેશમાં જે રીતે ટ્રકની લાઈન છે, તે ચિંતાનો વિષય છે. તેમને કહ્યું કે, હડતાળ લાંબી ચાલે તો રાજ્ય બહારથી આવતુ અનાજ અટકી શકે છે. ખાદ્ય સામગ્રીમાં કેટલિક ચીજ વસ્તુઓ બહારથી આવે છે તેથી હડતાળના કારણે બહારથી આવતા અનાજને અસર થશે. જોકે તેમને કહ્યું કે, સરકાર હડતાળ મુદ્દે વિચારણા કરે તેવી આશા છે.

વધુ વાંચો: પેટ્રોલ પંપો પર લાઇન ન લગાવતા: ટ્રકચાલકોની હડતાળ વચ્ચે ફેલાતી અફવાઓ મુદ્દે ગુજરાતને લઈને સ્પષ્ટતા

સુરતમાં હડતાળની નહીવત અસર
રાજ્ય સહિત દેશભરમાં ચાલતી ટ્રક ચાલકોની હડતાળની સુરતમાં નહીવત અસર જોવા મળી છે. વિગતો મુજબ ડિલરોમાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો અટવાવાની ચિંતા છે. પણ રાહતની વાત એ છે કે, સુરતમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આજે પણ પેટ્રોલ ડીઝલના ટેન્કર પંપ ખાતે પહોંચ્યા છે. 

ટ્રક ચાલકોની હડતાળથી પેટ્રોલ-ડિઝલનું પરિવહન અટક્યું હોવાની વાત વહેતી થવા મામલે હવે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે. વિગતો મુજબ પેટ્રોલ-ડીઝલ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું છે કે, અમદાવાદ અને ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો છે. આ સાથે તેમને કહ્યું કે, હડતાળ વચ્ચે શહેર અને રાજ્યમાં ઇંધણનો જથ્થો નહિ ખૂટે જેથી શહેરીજનોને ઇંધણ બાબતે ચિંતા ન કરો.

શું છે નવો નિયમ કે જેનો થઈ રહ્યો છે વિરોધ ? 
હવે નવા નિયમ મુજબ જો કોઈ વાહનને ટક્કર મારે છે અને ડ્રાઈવર પોલીસ પ્રશાસનને જાણ કર્યા વિના સ્થળ પરથી ભાગી જાય છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થશે અને દંડ પણ થશે. આ કાયદાને ખોટો ગણાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હરિયાણા, દિલ્હી, યુપી, એમપી, બિહાર સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકોએ રસ્તા રોકી દીધા છે. ગૃહમંત્રી અમિત શાહ પાસે આ કાયદાની જોગવાઈઓને હળવી કરવાની માંગ છે. આ નિયમથી માત્ર ટ્રક ડ્રાઈવરો જ નહીં પરંતુ ટેક્સી અને ઓટો ડ્રાઈવરો પણ પરેશાન છે. તમને જણાવી દઈએ કે, આ કાયદો ખાનગી વાહન માલિકોને પણ સમાન રીતે લાગુ પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ