બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / આરોગ્ય / Want to get rid of diabetes? So start drinking these 4 herbal teas daily, then see the benefits
Megha
Last Updated: 04:17 PM, 14 August 2023
Herbal Tea For Diabetes: ડાયાબિટીસ એ એક એવો રોગ છે જે બેઠાડુ જીવન અને ખરાબ ખાન પાનને લીધે તેમજ વારસાગત જોવા મળે છે. આજે મોટાભાગના લોકો આ રોગથી પીડિત છે. જો કે ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ રોગનો ઘરગથ્થુ ઉપચાર પણ છે. સાથે સાથે ખાવામાં પણ કેટલીક પરેજી રાખવામાં આવે તો ડાયાબીટીસને કંટ્રોલમાં કરી શકાય છે.
ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જેમાં આહાર મુખ્ય ભૂમિકા ભજવે છે. જો તમારો ખોરાક યોગ્ય ન હોય તો બ્લડ શુગર લેવલ અસામાન્ય રહેશે. તે જ સમયે બ્લડ શુગરનું સંતુલન અને સંચાલન બંને યોગ્ય આહાર પર આધારિત છે.આવી સ્થિતિમાં આજે એમ તમને એવી હર્બલ ચા બનાવવાની પદ્ધતિ જણાવશું જેનો ઉપયોગ કરીને ડાયાબિટીસમાં બ્લડ શુગરના સ્તરને સામાન્ય બનાવી શકાય છે. આ હર્બલ ટી ઘરે બનાવવીને પીવી ખૂબ જ સરળ છે.
ડાયાબિટીસ માટે હર્બલ ટી
તજની ચા
ડાયાબિટીસમાં તજની ચા પી શકાય છે. તજ ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં અસરકારક છે અને તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. ગરમ પાણીમાં તજ ઉમેરીને ઉકાળીને તજની ચા તૈયાર કરવામાં આવે છે.
લાલ જાસૂદની ચા (Hibiscus Tea)
જાસૂદની ચા ફૂલોને ઉકાળીને તૈયાર કરવામાં આવે છે. જાસૂદની ચા પીવાથી શરીરને એન્ટી-ઓક્સીડેન્ટ મળે છે. બ્લડ શુગરની સાથે આ ચા પીવાથી બ્લડ પ્રેશરની સમસ્યા પણ ઓછી થાય છે.
એલોવેરાની ચા
એલોવેરા સ્વાસ્થ્ય માટે એક નહીં પરંતુ અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. એલોવેરા ચા બનાવવા માટે તાજા એલોવેરા પલ્પને પાણીમાં ઉકાળીને તેને સવારે ખાલી પેટ પીવામાં આવે છે.
આદુની ચા
આદુની ચા સાંભળીને મનમાં દૂધ સાથે આદુની ચાનો વિચાર આવે છે પણ અમે આદુની દૂધ વગરની હર્બલ ટી વિશે વાત કરી રહ્યા છીએ. આદુને કાપીને પાણીમાં ઉકાળીને તેમાં લીંબુનો રસ નાખીને ચા તૈયાર કરવામાં આવે છે. આ ચા પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધે છે. આ સાથે આ ચા મેટાબોલિઝ્મને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime