બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Priyakant
Last Updated: 01:05 PM, 11 February 2023
અમદાવાદમાં ઈન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ (IAP) ની 60મી નેશનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહને PM મોદીએ સંબોધિત કર્યો હતો. આ દરમિયાન PM મોદીએ તમામ ફિઝિયોથેરાપિસ્ટને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, સારો ફિઝિયોથેરાપિસ્ટ એ છે જેની દર્દીને વારંવાર જરૂર ન પડે. આપણે કહી શકીએ કે, અમારો ધ્યેય લોકોને સ્વ-નિર્ભર બનાવવાનો છે. આજે જ્યારે ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે તમારા વ્યવસાયના લોકો સરળતાથી સમજી શકે છે કે આપણા દેશના ભવિષ્ય માટે તે શા માટે મહત્વપૂર્ણ છે.
ઈન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ (IAP) ની 60મી નેશનલ કોન્ફરન્સમાં PM મોદીએ કહ્યું કે, ઈજા હોય, દર્દ હોય, યુવા હોય, રમતવીર હોય, વૃદ્ધ હોય કે ફિટનેસના શોખીન હોય પણ ફિઝિયોથેરાપિસ્ટ દરેક પરિસ્થિતિમાં દરેક ઉંમરના લોકોના સાથી બનીને તેમની સમસ્યાઓ દૂર કરે છે. તમે મુશ્કેલ સમયમાં આશાનું પ્રતિક બનો છો. તેમણે કહ્યું કે, તેઓ ખુશ છે કે મેડિકલ ક્ષેત્રના આટલા પ્રોફેસરો એકઠા થઈ રહ્યા છે. ફિઝિયોથેરાપિસ્ટને વ્યવસાય તરીકે માન્યતા આપવામાં આવી છે. અમારી સરકારે ફિઝિયોથેરાપિસ્ટને આયુષ્માન યોજના સાથે જોડ્યા છે.
Fit India movement & Khelo India movement are being expanded. It's important people have right approach towards fitness. Yoga along with physiotherapy is beneficial: PM Modi during Indian Association of Physiotherapist (IAP) National Conference in Ahmedabad via video conferencing pic.twitter.com/svG7q4jp0F
— ANI (@ANI) February 11, 2023
ફિઝિયોથેરાપીની સાથે યોગ પણ જરૂરી: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખેલો ઈન્ડિયા મૂવમેન્ટની સાથે ભારતમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પણ આગળ વધી છે. ફિટનેસ પ્રત્યે યોગ્ય અભિગમ અપનાવવો જરૂરી છે. આ સાથે કહ્યું કે, તેમનો અનુભવ છે કે, જ્યારે યોગના અનુભવને ફિઝિયોથેરાપિસ્ટના અનુભવ સાથે જોડવામાં આવે છે ત્યારે તેની શક્તિ અનેકગણી વધી જાય છે. જો તમે ફિઝિયોથેરાપીની સાથે યોગને પણ જાણો છો, તો તમારી કાર્યક્ષમતામાં ઘણો વધારો થશે. તેણે કહ્યું કે, જ્યારે કોઈ બીમાર હોય છે ત્યારે ફિઝિયોથેરાપિસ્ટ તેની સારવાર જ નથી કરતા, પણ તેને પ્રોત્સાહિત પણ કરે છે.
મોટી દુર્ઘટનામાં ફિઝિયોથેરાપિસ્ટની જરૂર: PM મોદી
IAP ની 60મી નેશનલ કોન્ફરન્સમાં PM મોદીએ કહ્યું કે, દરેક વ્યક્તિએ વીડિયોની મદદથી સલાહ લેવાની પદ્ધતિઓ પણ વિકસાવવી જોઈએ. જેમ તુર્કીયેમાં જોરદાર ભૂકંપ આવ્યો છે, તેવી જ રીતે આવી આફત પછી પણ મોટી સંખ્યામાં ફિઝિયોથેરાપિસ્ટની જરૂર છે. આવી સ્થિતિમાં તમે મોબાઇલ દ્વારા ઘણી મદદ કરી શકો છો. દેશમાં વડીલોની વધતી જતી સંખ્યા સાથે, તેમની આરોગ્ય સંભાળ વધુ પડકારરૂપ બની છે. આવા સમયે તે ભારતીય ફિઝિયોથેરાપિસ્ટની કુશળતાને વિશ્વ સમક્ષ દર્શાવવામાં મદદ કરશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ