બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Premal
Last Updated: 04:21 PM, 29 July 2022
આ દિવસે ભગવાન શિવ અને ગણેશજીની પૂજા એકસાથે કરાશે
દર મહિનાના બંને પક્ષની ચતુર્થી ભગવાન ગણેશને સમર્પિત છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે. તો શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. શ્રાવણમાં વિનાયક ચતુર્થી 1 ઓગષ્ટ, સોમવારે આવી રહી છે. આ વખતે ભગવાન શિવ અને ગણેશજીની પૂજા-અર્ચના સાથે કરવામાં આવશે. આ દિવસે વ્રત રાખીને તમે ભોળાનાથની સાથે ગણેશજીનો પણ આશીર્વાદ મેળવી શકશો.
વિનાયક ચતુર્થીના દિવસે રવિ યોગનુ થઇ રહ્યું છે નિર્માણ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શ્રાવણ શિવ પરિવારની પૂજા માટે લાભદાયી માનવામાં આવ્યો છે. એવામાં વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીનો આશીર્વાદ મેળવવાનો વિશેષ અવસર છે. વિનાયક ચતુર્થીના દિવસે રવિ યોગનુ નિર્માણ થઇ રહ્યું છે. માન્યતા છે કે આ દિવસે ચંદ્ર દર્શન કરવામાં આવતા નથી. આવો જાણીએ આ કથા અંગે.
વિનાયક ચતુર્થી 2022 મુહૂર્ત
શ્રાવણ મહિનાની વિનાયક ચતુર્થી તિથિ 1 ઓગષ્ટ સોમવારે સવારે 4 વાગ્યેને 18 મિનિટથી શરૂ થઇને 2 ઓગષ્ટ મંગળવાર સવારે 5 વાગ્યેને 13 મિનિટે સમાપ્ત થશે. આ દિવસે રવિ યોગ 1 ઓગષ્ટે સવારે 5 વાગ્યેને 42 મિનિટથી શરુ થશે અને સાંજે 4 વાગ્યેને 6 મિનિટે થશે.
ઉલ્લેખનીય છે કે ગણેશ પૂજાનો શુભ સમય સવારે 11 વાગ્યેને 6 મિનિટથી બપોરે 1 વાગ્યેને 48 મિનિટની વચ્ચે છે. આ દરમ્યાન પૂજા કરવાથી ગણપતિની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ