બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vat savitri vrat 2023 auspicious yogas made zodiac signs shani jayanti puja vidhi

Vat Savitri Vrat 2023 / 30 વર્ષ બાદ વટ સાવિત્રી પર બની રહ્યો છે 3 શુભ યોગ, આ રાશિઓની થશે બલ્લે-બલ્લે

Bijal Vyas

Last Updated: 12:22 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌભાગ્યવતી મહિલાઓના તહેવાર વટ સાવિત્રીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ વખતે આ વ્રત 19મી મેના રોજ એટલે કે આજે મનાવવામાં આવી રહ્યું છે.

  • આજે વટ સાવિત્રીનું વ્રત, બની રહ્યા છે 3 દુર્લભ સંયોગ 
  • જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે
  • વડના વૃક્ષની પૂજા કરવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશના આશીર્વાદ મળે છે

Vat Savitri Vrat 2023 Shubh Yoga: સૌભાગ્યવતી મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સલામતી માટે વટ સાવિત્રીનું વ્રત રાખે છે. હિન્દુ ધર્મમાં આ વ્રતનું ખૂબ જ મહત્વ છે. આ વખતે વટ સાવિત્રીના વ્રતને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યુ છે કારણ કે આ દિવસે શનિ જયંતી પણ છે. આ કારણ છે કે 3 દુર્લભ અને શુભ યોગનું નિર્માણ થઇ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે, તેવામાં 3 દુર્લભ અને શુભ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે, તેવામાં અમુક રાશિઓના ભાગ્યનો સિતારો ચમકવાનો છે. 

પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે સાવિત્રી પોતાના પતિ સત્યવાનને યમરાજથી છીનવીને પાછી લાવી હતી. આ કારણે મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે આ દિવસે વ્રત રાખે છે. આ દિવસે વડના વૃક્ષની પૂજા કરવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશના આશીર્વાદ મળે છે. 

આજે છે વટસાવિત્રીનું વ્રત, થઇ રહ્યા છે આ 4 સંયોગ |  these-4-auspicious-yog-on-vat-savitri-vrat

શુભ યોગ
આ વર્ષે વટ સાવિત્રી વ્રત પર શશ યોગ, ગજકેસરી યોગ અને શોભન યોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ યોગોના સંયોગથી અમુક રાશિઓના સારા દિવસોની શરુઆત થવાની છે. તેવામાં આવો જાણીએ કે, કઇ રાશિ છે જેમને આ યોગનો લાભ થશે. 

મેષ રાશિઃ
વટ સાવિત્રી વ્રતના બે દિવસ પહેલા મેષ રાશિમાં ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી યોગ બને છે. આવી સ્થિતિમાં આ યોગ મેષ રાશિના લોકોને ઘણો ફાયદો કરાવશે. આ દિવસે ઓફિસમાં વરિષ્ઠોનો સહયોગ અને સાથ પ્રાપ્ત થશે, જેના કારણે નોકરીમાં પ્રમોશનની તકો બનશે. આ દરમિયાન તમે જે પણ કામમાં હાથ લગાડશો તેમાં તમને સફળતા મળશે. ધન લાભ થશે.

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે ગજકેસરી યોગ શુભ અને ફળદાયી સાબિત થવાનો છે. આ દિવસથી કુંભ રાશિના લોકોનું સૂતેલું ભાગ્ય જાગી જશે. નોકરીમાં આવતી સમસ્યાઓ દૂર થશે. કાર્યસ્થળ પર ધીરજ રાખો. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળશે.

વટ સાવિત્રી વ્રત પર બનવા જઈ રહ્યા છે આ 3 દુર્લભ સંયોગ, જાણો શુભ મુહૂર્ત અને  પૂજા વિધિ | Vat Savitri Vrat 2023 date and time shubh muhurat gajkesari yog

તુલા રાશિ
વટ સાવિત્રી વ્રતના દિવસે ત્રણેય શુભ યોગ તુલા રાશિના લોકો માટે શુભ અને ફળદાયી સાબિત થવાના છે. વ્યાપારીઓને વિશેષ લાભ મળશે અને વ્યાપારમાં વિસ્તરણની તકો રહેશે. અચાનક ક્યાંકથી ધનલાભ થશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે.

મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે વટ ​​સાવિત્રી વ્રત સારા સમાચાર લઈને આવશે. કાર્યસ્થળ પર નવી જવાબદારી મળવાથી મન પ્રસન્ન રહેશે. કરિયરમાં આવતા અવરોધો સમાપ્ત થશે અને સારા દિવસોનો આનંદ શરૂ થશે. વેપારીઓને ઘણો ફાયદો થશે, જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ