બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Vastu Tips keep these five things in house broken mirror pots and more can cause apoclaypse

માન્યતા / જો તમારા ઘરમાં પણ છે આ 5 ચીજ, તો જો-જો ફેંકી દેતા નહીં તો વધશે કંકાસ

Arohi

Last Updated: 09:04 AM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી વાસ્તુ શાસ્ત્રનું ખાસ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્ર સનાતન જ્યોતિષ વિજ્ઞાનનો એ અંશ છે જે ઘર, મકાન, દુકાન વગેરે જેવા નિર્માણ કાર્યોને શાસ્ત્રોત્ક વિધિથી કરવામાં સહાયક સાબિત થાય છે.

  • ઘરમાં ન રાખતા આવી વસ્તુઓ 
  • નહીં તો લાગશે વાસ્તુ દોષ 
  • પરિવારમાં થઈ શકે છે ઝગડા

વાસ્તુ શાસ્ત્રમાં યોગ્ય વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવા માટે જણાવવામાં આવ્યું છે. આ વસ્તુઓની અવગણના ધણી વખત તમને ભારે પડી શકે છે. હકીકતે ઘરમાં મુકેલી અમુક વસ્તુઓ દરિદ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘણી વખત આજાણતા આપણે પોતાના ઘર, દુકાન, ઓફિસમાં અમુક એવી વસ્તુઓ મુકી દઈએ છીએ જેનાથી નકારાત્મક ઉર્જા નિકળે છે. 

જેનાથી પ્રગતિ, સંબંધ, આવક, સ્વાસ્થ્ય, ગૃહ કલેશ અને માનસિકતા પર ખરાબ પ્રભાવ પડે છે. આવી સ્થિતિમાં અમુક એવી વસ્તુઓને ઘરમાંથી કાઢી નાખવી જરૂરી છે. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં વાસ કરે છે.

ખંડિત મૂર્તિઓ 
ધાર્મિક ગ્રંથો અનુસાર માન્યતા છે કે ઘરમાં કોઈ પણ ભગવાનની ખંડિત મૂર્તિ ન રાખવી જોઈએ. સાથે જ આ મૂર્તિઓની પૂજા કરવી પણ યોગ્ય નથી માનવામાં આવતી. આમ કરવાથી દુર્ભાગ્ય વધે છે અને ધન-સંપત્તીમાં કમી આવે છે. એવામાં જો તમારા ઘરમાં ખંડિત મૂર્તિઓ છે તો તેને પવિત્ર નદીઓમાં વિસર્જીત કરી નવી મૂર્તિઓને મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ. 

બંધ ઘડિયાળ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં બંઘ ઘડિયાળ રાખવી વાસ્તુ શાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં બંધ ઘડિયાળ પડી છે તો તેને કાઢી નાખવી જોઈએ. આ પ્રકારની વસ્તુઓ જીવનમાં ઘણા પ્રકારના અવરોધ પેદા કરે છે. સાથે જ ઘરમાં કલેશ વધારે છે. 

તૂટેલા વાસણ 
તૂટેલા વાસણ ઘરમાં રાખવા પણ શુભ નથી માનવામાં આવતા. જો તમારા ઘરમાં તૂટેલા કે તિરાડ વાળા વાસણ છે તો તેને પણ ઘરની બહાર કરી નાખો. 

તૂટેલુ ફર્નીચર
ઘરમાં રાખેલું તુટેલુ ફર્નીચર ખરાબ પ્રભાવ મુકે છે હંમેશા તેને યોગ્ય સ્થિતિમાં જ રાખવું જોઈએ. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે તો ઘરમાં રાખેલા તુટેલા ફૂટેલા ફર્નીચરને તમારા ઘરમાંથી બહાર કરવું જોઈએ. 

તૂટેલા કાંચ 
તૂટેલા કાંચ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. સાથે જ ખુશીઓ અને ધનની પણ હાની થાય છે માટે ઘરમાં તૂટેલા કાંચ ક્યારેય ન રાખવા જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ