બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન
ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા
દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન
ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન
CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત
ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
Vidhata
Last Updated: 12:29 PM, 21 April 2024
હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને પણ મહત્ત્વ આપવામાં આવે છે. લોકો પોતાનું ઘર પણ વાસ્તુ પ્રમાણે બનાવડાવે છે. ત્યારે આજે એવું વસ્તુઓ વિશે વાત કરીએ કે વાસ્તુ શાસ્ત્ર જેને અનુસાર ઘરમાં રાખવામાં આવે તો આપણા જીવન પર નકારાત્મક અસર કરે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દરેક વસ્તુમાં ઉર્જા હોય છે જે આપણા જીવન પર સકારાત્મક કે નકારાત્મક અસર કરે છે. ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ ઘરમાં રહેતા સભ્યો પર નકારાત્મક અસર કરે છે.
એવું માનવામાં આવે છે કે ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ જેનો જેનો લાંબા સમય સુધી ઉપયોગ થતો નથી તેમાં રાહુ, કેતુ અને શનિનો વાસ હોય છે. જેના કારણે ઘરમાં કલેશ વધે છે અને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. જાણો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ.
ઘરમાં પડેલી લોખંડની જૂની વસ્તુઓને કાટ લાગી જાય છે. કાટને ધાતુનો ક્ષય માનવામાં આવે છે જેમાં ધાતુની સકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે અને તે નકારાત્મક ઉર્જાને ગ્રહણ કરે છે. તેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે. કાટવાળું વસ્તુઓ વ્યક્તિના જીવનમાં સ્થિરતા લાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તે પ્રગતિ અને સફળતામાં અવરોધ બને છે. કાટવાળી વસ્તુઓ રાખવાથી આર્થિક નુકસાન થાય છે. કાટ લાગતી ધાતુઓમાં હાનિકારક રસાયણો હોય છે જે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. તેથી તેને ઘરમાં ન રાખવી જોઈએ.
બંધ ઘડિયાળને અટકેલ સમય અને ગતિહીનતાનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, બંધ ઘડિયાળ નકારાત્મક ઊર્જાને આકર્ષે છે. અટકી ગયેલી ઘડિયાળથી ઘરમાં આર્થિક નુકસાન થાય છે. એવું માનવામાં આવે છે કે તે પૈસાના પ્રવાહને રોકે છે અને તેના કારણે નાણાકીય સમસ્યાઓ ઊભી થાય છે. અટકી ગયેલી ઘડિયાળ તણાવ, ચિંતા અને નકારાત્મક વિચારને વધારે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં રાખવામાં આવેલી બંધ ઘડિયાળ વ્યક્તિ માટે ખરાબ સમય લાવે છે.
ઘણીવાર લોકો પિત્તળના જૂના વાસણો કોઈ બંધ જગ્યાએ મૂકી દે છે. એવું માનવામાં આવે છે કે આ વાસણોને અંધકારમાં રાખવાથી તેમાં શનિ વાસ કરે છે અને જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવવા લાગે છે. શનિની ખરાબ નજરને કારણે વ્યક્તિનું જીવન પરેશાનીઓથી ભરાઈ જાય છે અને તેને કંગાળ બનાવી દે છે. પિત્તળને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં ગુરુ નબળો હોય તેમણે પોતાના ઘરમાં પિત્તળના વાસણો ન રાખવા જોઈએ. આનાથી નકારાત્મક અસરો થઈ શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ