બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Khyati
Last Updated: 01:36 PM, 19 April 2022
રાજ્યમાં સરાજાહેર હત્યાના બનાવો વધી રહ્યા છે. એક પણ દિવસ એવો હોતો નથી કે કોઇ હત્યાનો બનાવ ન બન્યો હોય. અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઇ ડર હોય તેમ લાગતુ નથી.ય ક્યારેક અંગત અદાવતમાં તો ક્યારેક પૈસાની લેતી દેતીમાં, અને હવે તો પ્રેમ પ્રકરણમાં પણ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટના ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી.
રાજકોટમાં ડબલ મર્ડર
રાજકોટના ઉપલેટામાં કુંભરવાડાના નાકે ડબલ મર્ડરની ઘટના બની. કુંભારવાડા નાકે જાહેરમાં યુવક અને યુવતી પર તીક્ષ્ણ હથિયારના ઝીંકીને હુમલાખોરો ફરાર થઇ ગયા. બંને યુવક અને યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પહોંચી હતી. હાલમાં મૃતદેહો કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યુ છે કે હત્યા કરનાર શખ્સ બીજુ કોઇ નહી પરંતુ યુવતીનો ભાઇ જ હતો.
પ્રેમ લગ્ન કરતા ભાઇએ રાખ્યો ખાર
પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણમાં હત્યા કરાયા હોવાનું સામે આવી રહ્યુ છે. મળતી માહિતી મુજબ યુવતીએ 6 મહિના પેહલા જ પ્રેમ લગ્ન કર્યા હતા જે બાબતે ભાઇએ ખાર રાખ્યો હતો. સગા ભાઇએ જ બહેન-બનેવીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ઉપલેટાની જીગરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ મનસુખભાઈ મહિડા (ઉં.વ.32) અને અરણી ગામની હીના સોમજીભાઈ સીંગરખીયા (ઉં.વ.30)ને હીનાના ભાઈ સુનિલે છરીના આડેધડ ઘા મારીને હત્યા નીપજાવી હતી. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આરોપી સુનિલને પકડવા શોધખોળ હાથ ધરી છે.
સળગતા સવાલ ?
શું આ છે રાજકોટની કાનૂન વ્યવસ્થા?
કથળતી કાનૂન વ્યવસ્થા કોણ સુધારશે?
રાજકોટ જિલ્લામાં અપરાધીઓ કેમ બેફામ છે?
રાજકોટ જિલ્લામાં અપરાધીઓને કેમ પોલીસનો કોઇ ડર નથી?
બેફામ અપરાધીઓથી જનતાની સુરક્ષા કોણ કરશે?
બેફામ અપરાધીઓ પર સંકજો ક્યારે કસાશે?
શું હવે રાજકોટ જિલ્લામાં જનતાએ ભયમાં જ રહેવુ પડશે?
રાજકોટ જિલ્લામાં ભયમુક્ત વાતાવરણ ક્યારે થશે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime