બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Unveiling of Hanumanji idol in Ananda Ode
Dinesh
Last Updated: 08:44 PM, 15 July 2023
આણંદનાં ઉમરેઠનાં ઓડ ગામે 39 ફૂટ ઉંચી હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. સાળંગપુરનાં કષ્ટભંજન દેવની પ્રતિકૃતિ ઓડ ગામમાં જોવા મળી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું, ઓડ ગામના જાહેર રસ્તા પર વિશાળ હનુમાનજી મૂર્તિ સૌનું ભક્તિનું કેન્દ્ર બન્યો છે.
સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ
ઓડમાં વિરાજીત સંકટમોચન હનુમાનજી ભગવાનની 39 ફૂટ ઊંચી મૂર્તિનું સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા જિલ્લાના વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભક્તિમય માહોલ
10 માસના ટૂંકા ગાળામાં 39 ફૂટ ઉંચી સંકટમોચન હનુમાનજીની મૂર્તિ તૈયાર કરાઈ છે. ભગવાનની મૂર્તીના અનાવરણ પ્રસંગે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અત્રે જણાવીએ કે, ઓડ ગામમાં આ મૂર્તીના અનાવરણને લઈ ગ્રામજનોમાં પણ ભક્તિમય માહોલ વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
પરિસર સ્વચ્છ રાખવા સંકલ્પ
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 39 ફુટની વિશાળ પ્રતિમાના અનાવરણમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હનુમાનજીના ભક્તો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે. સાથે જ હર્ષ સંઘવીએ ભક્તોને શુભકામના પાઠવી હતી અને પરિસર સ્વચ્છ રાખવા સંકલ્પ પણ લેવડાવ્યા હતા, ઉપરાંત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વને આવરી લેતા એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું જે સાંસદ મિતેશ પટેલ દ્વારા લખવામાં આવ્યું છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ