બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Union Minister Amit Shah will launch and inaugurate various development works
Dinesh
Last Updated: 09:28 PM, 11 August 2023
Gandhingar News : ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ અને માણસા નગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારીના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના હસ્તે તા.13મી જુલાઇના રોજ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગુડા વિસ્તારના 85 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે. જેમાં વાવોલ ગામની ટીપી સ્કીમ –13ના પ્લોટ નંબર 319 અને 309 ખાતે પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવેલા EWS –2 પ્રકારના અદ્યતન સુવિધાવાળા રૂપિયા 68 કરોડથી વઘુના ખર્ચે તૈયાર થયેલા 792 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.
ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે
અત્રે ઉલ્લેખનીય છે કે આ આવાસના દરેક બ્લોકમાં આધુનિક લીફટ તથા ફાયર લીફટની સુવિઘા આપવામાં આવી છે. આવાસના પરિસરમાં, કોક્રીટ રોડ, પાર્કિંગ, કંમ્પાઉન્ડ વોલ, સિક્યુરીટી કેબીન સાથેનો એન્ટ્રી ગેટ, સ્ટ્રીટલાઇટ, સોલર સિસ્ટમ, જનરેટર, બગીચા સાથેનો કોમન પ્લોટ, પાણીનો બોરવેલ સાથે અંડર ગ્રાઉન્ડ સમ્પ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફાયર ફાઇટનીંગ સિસ્ટમ, કોમ્યુનિટી હોલ જેવી અનેકવિઘ સુવિઘાઓ અહીં પૂરી પાડવામાં આવી છે. 800 જેટલા પરિવારનું ઘરના ઘરનું સ્વપ્ન ગાંધીનગર શહેરી વિસ્તારમાં માત્ર 5.50 લાખમાં સાકાર થશે. એક આવાસની કુલ કિંમત 5.50 લાખ છે. જેમાંથી રૂપિયા 3 લાખની સહાય સરકાર દ્વારા આ લાભાર્થીઓને આપવામાં આવી છે. આ સાથે વાવોલ વિસ્તારમાં પ્લોટ નંબર-315 અને 329 ખાતે રૂપિયા 2.80 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બે બાગ-બગીચાનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે.
અદ્યતન બગીચાનું પણ લોકાર્પણ કરવામાં આવશે
આત્મા ગામડાનો સુવિઘા શહેરની તેવા શ્રેષ્ઠ ભાવ સાથે ગ્રામ્ય કક્ષાએ સરકાર કરવાના ઉમદા આશયથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સરઢવ ગામ ખાતે રૂપિયા 85 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા શશીકલા ઉદ્યાન અને રૂપિયા 1 કરોડ 25 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અન્ય અદ્યતન બગીચાનું પણ લોકાર્પણ કરવામાં આવશે. તેની સાથે મોટી આદરજ ગામ ખાતે રૂપિયા 12 કરોડ 34 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ડ્રેનેજ નેટવર્ક, એસ.ટી.પી. તથા પંપીગ બનાવવાના કામાનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.
ચાર માર્ગીય બનાવવાના કામનું ખાતમુહૂર્ત
માણસા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે રૂપિયા 40 કરોડના ખર્ચે ગાંધીનગરના ક-7 થી રાંધેજા-બાલવા-માણસા સુઘીના રોડને ચાર માર્ગીય બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેની સાથે માણસા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 1.48 કરોડના ખર્ચે એલ.ઇ.ડી સ્ટ્રીટ લાઇટ પોલ અને હાઇ માસ્ટ પોલના કામનું ખાતમુહર્ત કરવામાં આવનાર છે. માણસાના વૈભવ- વારસા સમા ચંદ્વાસર તળાવના બ્યુટિફિકેશનનું કામ અમતૃ સરોવર– 2.0 યોજના હેઠળ રૂપિયા 4 કરોડ 23 લાખના ખર્ચ થનાર છે. જે કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે. માણસા તાલુકામાં રૂપિયા 11 કરોડના ખર્ચે મોડેલ સબ રજીસ્ટિરા કચેરીના નવીન ભવન નિર્માણ કરવાના કામનું ભૂમિ પૂજન કરવામાં આવશે. તેની સાથે બાપુપુરા પી.એચ.સી અને ચરાડા સી.એચ.સી. ની તકતિનું અનાવરણ પણ કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે કરવામાં આવશે. તેમજ એન.એસ.જી. હબ માટે લેકાવાડા નજીક 60 એકર જમીનમાં રૂપિયા 215 કરોડના ખર્ચે તૈયાર થનાર સંકુલનું ખાતમુહૂર્ત પણ કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે થનાર છે. 'મેરી માટી – મેરા દેશ' કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે માણસા ખાતે શિલાફલકમનું પણ અનાવરણ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો