બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Tribal leaders of BJP-Congress face off in Chotaudepur
Priyakant
Last Updated: 01:04 PM, 21 November 2023
Chhotaudepur News : છોટાઉદેપુર ભાજપ-કોંગ્રેસના આદિવાસી નેતાઓ આમને સામને આવ્યા છે. વાત જાણે એમ છે કે, ટ્રાઈફેડ દ્વારા મળતી ગ્રાન્ટને લઈને બંને નેતાઓએ એકબીજા પર પ્રહાર કર્યા છે. વિગતો મુજબ તાજેતરમાં કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ ટ્રાઈફેડ યોજનાને લઈ કેટલાક સવાલ કર્યા હતા. જે બાદમાં પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ કોંગ્રેસના અર્જુન રાઠવા પર પ્રહારો કર્યા છે.
છોટાઉદેપુરના તેજગઢમાં સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જ્યાં પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ કોંગ્રેસના અર્જુન રાઠવાને આડે હાથ લીધા હતા. ટ્રાઇફેડ યોજનાને ગ્રાન્ટને લઈ રામસિંહ રાઠવાએ કોંગ્રેસના અર્જુન રાઠવાને સાચા આંકડા આપવા કહ્યું હતું. આ સાથે આદિવાસી સમાજને ગેરમાર્ગે નહીં દોરવાનું કહી અને કાનૂની કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી.
શું કહ્યું હતું રામસિંહ રાઠવાએ ?
છોટાઉદેપુરમાં ટ્રાઈફેડની ગ્રાન્ટને લઈને બંને નેતા આમનેસામને આવ્યા છે. પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ કોંગ્રેસના અર્જુન રાઠવા પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, અર્જુન રાઠવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. ટ્રાઈફેડની ગ્રાન્ટ વિશે અર્જુન રાઠવા લોકોને ગેરમાર્ગે દોરે છે. સમાજ સેવા કરવી હોય તો કોઈ પાર્ટીમાં કેમ જોડાયા?. મહત્વનું છે કે, રામસિંહ રાઠવાભારત સરકારના ટ્રાઈફેડ વિભાગના ચેરમેન છે. બોડેલીમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં રામસિંહ રાઠવાએ આ પ્રહાર કર્યા હતા.
શું કહ્યું કોંગ્રેસના અર્જુન રાઠવાએ ?
આ તરફ કોંગ્રેસના અર્જુન રાઠવાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, રામસિંહ રાઠવાએ સ્નેહમિલનમાં શુભેચ્છા આપવાના બદલે માત્ર આક્ષેપ કર્યા છે. મે માત્ર મળેલી ગ્રાન્ટ ક્યા કેટલી વપરાઇ તે પુછ્યુ હતુ. મે માહીતી માંગી હતી પરંતુ માહીતીના બદલે તુચ્છ ભાષાનો પ્રયોગ કરી મને દબાવવાનો પ્રયત્ન કર્યો. આ સાથે લીગલ કરીશ તેવુ કહીને અયોગ્ય વર્તન કર્યુ. અર્જુન રાઠવાએ કહ્યું કે, ગોળ ગોળ વાતો કરી મને દબાવવાનો પ્રયત્ન કરે છે તે ખુબ નિંદનીય છે. તેમણે કહ્યું કે, ભાજપમાં ટ્રેન્ડ છે જ્યા જ્યા લોકો બોલે તેના ખોટા કેસમાં ફસાવી દેવા- ડેડીયાપાડામાં ચૈતર વસાવાને દબાવવા કેસ કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime