બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / TRAI warned people to stay aware of fraud calls who asks for completing KYC of your mobile number by using governments name

એલર્ટ / "તરત જ KYC કરો નહીંતર બંધ થઈ જશે નંબર" આવા ફ્રોડ કૉલ સાવધાન, સરકારે જારી કરી ચેતવણી

Published By: Vaidehi

Last Updated: 04:03 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલીકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઓફ ઈન્ડિયાએ લોકોને ચેતવણી આપી છે. ઑથોરિટીએ ફોનનંબર વેરિફાઈ કરવા માટે પોતે સરકારી કર્મચારી છે તેવું કહીને ફ્રોડ કરનારાઓને ચેતવણી આપી છે. ઑથોરિટીએ લોકોને આવા લોકોથી સાવચેત રહેવા કહ્યું છે.

  • સરકારનાં કર્મચારીનાં નામે ફ્રોડ કોલ્સનાં કિસ્સા વધ્યાં 
  • TRAIએ લોકોને આવા ફ્રોડ કોલથી બચવા ચેતવણી આપી
  • કહ્યું ટ્રાઈ આ પ્રકારનાં કોઈપણ કોલ કે મેસેજ કરતું નથી

શું તમને કોઈ સરકારી કર્મચારી તરફથી નંબર વેરિફિકેશન કરવાને લઈને કૉલ આવ્યાં છે? સાયબર ક્રિમિનલ્સ નિર્દોષ લોકોને ફસાવવા માટે એક નવો રસ્તો ખોજ્યો છે. તમારા ફોન નંબરનું KYC પૂરું કરવાને લઈને તમને કોલ કરવામાં આવે છે. સ્કેમર્સ URL લિંક મોકલે છે. જેના પર ક્લિક કરતાંની સાથે જ તમારું મોટું નુક્સાન થઈ શકે છે. સામાન્ય જનતા આ પ્રકારનાં ફ્રોડનો શિકાર ન બને એ માટે ટેલીકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઓફ ઈન્ડિયાએ ચેતવણી જાહેર કરી છે. TRAIએ સ્પષ્ટતા આપી છે કે તેઓ આવા પ્રકારનાં કોઈપણ કોલ કે મેસેજ નથી મોકલતી.

ફ્રોડ કોલથી સાવધાન રહેવું
ટેલિકોમ રેગ્યુલેટરે લોકોનાં મોબાઈલ પર મેસેજ મોકલ્યો છે અને આ પ્રકારનાં સ્કેમથી સાવધાન રહેવા માટે કહ્યું છે. સાયબર ક્રિમિનલ્સ સરકારનાં નામે લોકોને કોલ કરે છે અને તેમને પોતાનો ફોન નંબર વેરિફાઈ કરવા માટે કહે છે. કોલમાં લોકોને ડરાવવામાં આવે છે કે જો તેમણે કેવાયસી પૂરું ન કર્યું તો મોબાઈલ નંબર બંધ થઈ શકે છે. આ પ્રકારે લોકોને ફસાવવામાં આવી રહ્યું છે.

TRAIએ પોતાના SMSમાં શું લખ્યું?
TRAIએ લોકોને મેસેજ મોકલ્યો જેમાં લખ્યું કે- ટ્રાઈ મોબાઈ નંબરોનાં ડિસ્કનેક્શન/વેરિફિકેશન/ ગેરકાયદેસર એક્ટિવીટીની રિપોર્ટ કરવા માટે ક્યારેય પણ કોઈપણ પ્રકારનો મેસેજ કે કોલ કરતી નથી. ટ્રાઈનાં નામથી આવનારા મેસેજ કે કોલથી સાવધાન રહો. ટ્રાઈથી હોવાનો દાવો કરનારા કોઈપણ કોલ કે મેસેજને ફ્રોડ સમજવું જોઈએ.

વધુ વાંચો: કેનેડામાં જૉબ કરવી છે? તો Apply કરવા અપનાવો આ ત્રણ રસ્તા, ખર્ચો પણ ઓછો, મહિનામાં પરમિટ

અહીં કરો ફરિયાદ
આવા પ્રકારનાં સાયબર ફ્રોડનો શિકાર તમે ન બનો એ માટે તમારે સતત સાવધાન રહેવું જોઈએ. જો તમને આવો કોઈ કોલ આવે છે તો તરત જ તમારે ફરિયાદ કરવી જોઈએ. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો અથવા તો સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર પણ જાણકારી આપી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

cyber fraud

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ