બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / today bjp foundation day pm narendra modi address
Dhruv
Last Updated: 10:49 AM, 6 April 2022
મોદીએ કહ્યું કે, ભાજપનો આ સ્થાપના દિવસ ત્રણ કારણોસર ખાસ મહત્વપૂર્ણ છે.
1. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
2. ઝડપથી બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ કે જેમાં ભારત માટે સતત નવી શક્યતાઓ ઊભી થઈ રહી છે.
3. ચાર રાજ્યોમાં ભાજપની સરકાર પરત આવી છે. ત્રણ દાયકા બાદ રાજ્યસભામાં પાર્ટીના સભ્યોની સંખ્યા 100ને પાર કરી ગઈ છે.
This year's foundation day has become very important due to 3 reasons. First, we are celebrating 75 years of independence; this is a major occasion for inspiration. Second, rapidly changing global situation; new opportunities are coming up for India continuously: PM Modi (1/2) pic.twitter.com/PcuRW8LcUm
— ANI (@ANI) April 6, 2022
વિશ્વ સામે એક એવું ભારત છે જે ડર અને દબાવમાં નથી આવતું : PM મોદી
એ સિવાય મોદીએ વધુમાં કહ્યું કે, 'ભાજપનું દાયિત્વ સતત વધી રહ્યું છે. ભારતની સોચ આત્મનિર્ભરતાની છે. લોકલને ગ્લોબલ બનાવવાનો ધ્યેય છે. ભાજપનો વિચાર સામાજિક સમરસતાનો છે. દેશના સંકલ્પો સાથે નિરંતર જોડાયેલા રહેવું જોઇએ. એક સમયે દેશના લોકોમાં નિરાશા હતી. હાલમાં દેશના લોકો ગર્વથી કહે છે દેશ બદલાઇ રહ્યો છે. વિશ્વ સામે એક એવું ભારત છે જે ડર અને દબાવમાં નથી આવતું. વિશ્વ સમક્ષ ભારત પોતાના હક માટે અડગ રહે છે. વિશ્વ બે ભાગમાં વહેચાયેલું છે. ભારત દ્રઢતા સાથે માનવતાની વાત કરી શકે છે. સરકાર રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને કામ કરે છે. દેશની પાસે નીતિઓ છે અને નિયત પણ છે. આજે દેશ પાસે નિર્ણયશક્તિ અને નિશ્ચિયશક્તિ પણ છે. દેશમાં 30 લાખ કરોડના ઉત્પાદકોના નિર્યાતનો ટાર્ગેટ પ્રાપ્ત થયો છે. મુશ્કેલ સમયમાં 80 કરોડ ગરીબોને મફત રાશન અપાયું. ભાજપને જનતા તરફથી ભરપૂર આશિર્વાદ મળ્યા છે.'
Some parties did only vote bank politics for decades. Making promises to only a few, keeping most of the people longing for things, bias & corruption was a side effect of vote bank politics. BJP not only challenged this but also succeeded in making people understand its harm: PM pic.twitter.com/d6oRdIQA4E
— ANI (@ANI) April 6, 2022
ભેદભાવ, ભ્રષ્ટાચાર એ તમામ મતબેંકની રાજનીતિની આડ અસરો હતી
PM મોદીએ કહ્યું કે, 'દાયકાઓ સુધી કેટલાંક પક્ષોએ વોટબેંકનું રાજકારણ કર્યું છે. માત્ર થોડા લોકોને જ વચન આપો અને મોટા ભાગના લોકોને તરસાવીને રાખો. ભેદભાવ, ભ્રષ્ટાચાર એ તમામ મતબેંકની રાજનીતિની આડ અસરો હતી. ભાજપે આ રાજકારણને ટક્કર આપી છે. ભાજપના કાર્યકર દેશના સપનાના પ્રતિનિધિ છે. ભાજપના કાર્યકરોનો આ ફરજનો સમયગાળો છે. દેશ બદલાઈ રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે. દેશ પોતાના હિત માટે અડગ રહે છે, દેશની આજે પણ એક નીતિ છે. દેશ પાસે નિર્ણય શક્તિની સાથે-સાથે નિર્ણય શક્તિ પણ છે, આથી આજે આપણે લક્ષ્યો નક્કી કરી રહ્યાં છીએ અને તેને પૂર્ણ કરી રહ્યાં છીએ. કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી અને કચ્છથી કોહિમા સુધી ભાજપ એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સતત મજબૂત કરી રહ્યું છે.'
Third, BJP's double engine govt came to power once again in 4 states recently. After 3 decades a party has touched the mark of 100 members in Rajya Sabha: PM Narendra Modi on BJP's 42nd foundation day (2/2) pic.twitter.com/dBwEwRCmDC
— ANI (@ANI) April 6, 2022
દેશમાં બે પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે, એક છે પરિવારની ભક્તિ અને બીજી છે દેશભક્તિ
વધુમાં જણાવ્યું કે, 'દેશમાં અત્યારે બે પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે. એક છે પરિવારની ભક્તિ, બીજી છે દેશભક્તિ. દેશમાં કેટલાંક રાજકીય પક્ષો એવાં છે કે જેઓ પોતાના પરિવાર માટે કામ કરી રહ્યાં છે. ભાજપે જ પરિવારવાદ વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું અને તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. લોકો સમજી ગયા છે કે, પારિવારિક સરકારો લોકતંત્રની દુશ્મન છે અને તેઓ બંધારણને કંઇ જ સમજતા નથી.'
PM મોદીએ કાર્યકર્તાઓને સંબોન કરતા કહ્યું કે, 'ભાજપ એક ભારત, શ્રેષ્ઠ ભારત' ના મંત્ર પર ચાલે છે. ભાજપની વિચારધારા આત્મનિર્ભરતાની છે.' સંબોધન કરતા પહેલાં મોદીએ 'ભારત માતા કી જય'ના સૂત્રોચ્ચાર કરાવ્યાં હતાં. આ સાથે જ તેઓએ કહ્યું હતું કે, 'આજે નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા થાય છે. માતા કમળના આસન પર બેસે છે અને પોતાના બંને હાથમાં કમળનું ફૂલ ધરાવે છે.'
Delhi | Today on BJP's 42nd foundation day, we also have to remember those people who first walked with 'Oil Lamp' from Jana Sangha era&then with 'Lotus'. Three-four generations gave themselves to the cause of making the party glorious: BJP national president JP Nadda at party HQ pic.twitter.com/GP2bDq1u5F
— ANI (@ANI) April 6, 2022
ભાજપ ગરીબોને મજબૂત કરવાની પાર્ટી : જે.પી નડ્ડા
પીએમ મોદી પહેલાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતાં. તેમણે કહ્યું કે, ભાજપ ગરીબોને મજબૂત કરવાની પાર્ટી છે અને મોદીએ ભાજપની વિકાસયાત્રામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે.
Today is the fifth day of Navratri. Today we worship Maa Skandamata. We've seen that she sits on a Lotus throne & holds Lotus flowers in both her hands. I pray that her blessings continue to be bestowed upon every citizen & worker of the BJP: PM Modi on BJP's 42nd foundation day pic.twitter.com/zkag0PZyus
— ANI (@ANI) April 6, 2022
આ વખતનો સ્થાપના દિવસ કંઇક ખાસ રહેશે
ભાજપના મતે, આ વખતે તેમનો સ્થાપના દિવસ કંઇક ખાસ બનવા જઇ રહ્યો છે કારણ કે તેઓ દેશભરમાં સામાજિક ન્યાય પખવાડિયું બનાવવા જઈ રહ્યાં છે. આ અંતર્ગત 7 થી 20 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે., કેન્દ્રની જનકલ્યાણકારી યોજનાઓને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવામાં આવશે. તદુપરાંત ભાજપ 12મી એપ્રિલે દેશભરમાં રસીકરણ દિવસની ઉજવણી કરશે. ત્યાર બાદ 13મીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંગેના કાર્યક્રમો યોજાશે. 14મી એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવવામાં આવશે અને તેને લગતા કાર્યક્રમો પણ રાખવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime