બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / બોલિવૂડ / Threatened me Bavari of Tarak Mehta made a new accusation against Asit Modi

TMKOC / 'મને ધમકી આપી..', તારક મહેતા...ની 'બાવરી'એ અસિત મોદી પર લગાવ્યો નવો આરોપ

Megha

Last Updated: 11:48 AM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોનિકા ભદોરિયાએ નિર્માતા અસિત કુમાર મોદી પર નવા આરોપ લગાવ્યા છે. તેનું કહેવું છે કે અસિતે તેને ધમકી આપી છે.

  • મોનિકા ભદોરિયાએ અસિત કુમાર મોદી પર નવા આરોપ લગાવ્યા
  • અસિત કુમાર મોદીએ મને ધમકી આપી
  • મોનિકાએ કહ્યું કે તે પહેલેથી જ મેન્ટલ ટ્રોમામાં છે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કરી ચૂકેલી અભિનેત્રી મોનિકા ભદૌરિયાએ તાજેતરમાં નિર્માતા અસિત કુમાર મોદી પર સેટ પર ગેરવર્તનનો આરોપ લગાવીને બધાને ચોંકાવી દીધા હતા. જણાવી દઈએ કે આ શોમાં મોનિકા 'બાવરી'નું પાત્ર ભજવતી હતી જેનિફરના આરોપો પછી મોનિકાએ આરોપ લગાવ્યો હતો એવામાં હવે તેણે ફરી કેટલાક નવા આરોપો લગાવ્યા છે. તેનું કહેવું છે કે અસિત મોદીએ ધમકી આપી છે કે તેઓ તેમને મુંબઈમાં કામ કરવા દેશે નહીં. મોનિકાએ કહ્યું કે તે પહેલેથી જ મેન્ટલ ટ્રોમામાં છે અને અસિત મોદીની ધમકીએ તેને વધુ વધાર્યો છે. તેની અસર તેની કારકિર્દી પર પડી રહી છે.

અસિત કુમાર મોદીએ મને ધમકી આપી
મોનિકા ભદોરિયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “અસિત કુમાર મોદીએ મને ધમકી આપી હતી કે તે મુંબઈમાં કામ કરી શકશે નહીં. હું પહેલેથી જ મારી માતાને ગુમાવવાના મેન્ટલ ટ્રોમામાંથી પસાર થઈ રહી હતી અને એવામાં તે મને મારી કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી રહ્યો હતો અને તેની ખરેખર મારી કારકિર્દી પર અસર પડી છે."

શોના પ્રોડક્શન હેડને મોનિકા કહે છે 'તોછડો'
મોનિકા ભદોરિયાએ કહ્યું, “મેં શો (TMKOC) છોડ્યા પછી કામ કરવા માટે સંઘર્ષ કર્યો. તેણે મારા જીવન અને કારકિર્દીને અસર કરી છે." મોનિકાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણીને 'તોછડો' કહ્યા અને વધુમાં દાવો કર્યો કે તે કોઈની સાથે સન્માનપૂર્વક વાત નથી કરતો.

દિલીપ જોષી સાથે પણ કર્યો હતો ઝઘડો 
એક ઘટનાને યાદ કરતાં મોનિકા ભદોરિયાએ કહ્યું, “એકવાર દિલીપ જોષી સર સાથે પણ તેની ઝઘડો થઈ ગયો અને તેણે દિલીપ સરને સેટ પર આવવાનું બંધ કરી દીધું. દિલીપ સરે કહ્યું હતું કે જો સોહેલ સેટ પર હશે તો હું શૂટિંગ નહીં કરું. અસિત કુમાર મોદીએ દરમિયાનગીરી કરવી પડી હતી અને સોહેલને મામલો શાંત ન થાય ત્યાં સુધી સેટથી દૂર રહેવા કહ્યું હતું.

મોનિકા ભદોરિયાએ દાવો કર્યો હતો કે તારક મહેતાના સેટ પરના કલાકારોમાંથી કોઈ પણ કામ ગુમાવવાના ડરથી નિર્માતાઓના વર્તન સામે બોલશે નથી. “જ્યાં સુધી તે ત્યાં કામ કરશે ત્યાં સુધી કોઈ તેની વિરુદ્ધ બોલશે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ