ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં અને દિલ્હીની MCD ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે ત્યારે તમને સવાલ થતો હશે કે આ પોલમાં સર્વે કઈ રીતે કરવામાં આવે છે? આપને જણાવી દઈએ કે એક્ઝિટ પોલમાં એક સર્વે કરવામાં આવે છે જેમાં મતદારોને પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ એ પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો. આ સર્વે મતદાનના દિવસે જ કરવામાં આવે છે એટલે કે સર્વેક્ષણ એજન્સીઓની ટીમો મતદાન મથકની બહાર મતદારોને પ્રશ્ન કરે છે અને એ પરથી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. ચૂંટણી સર્વે ત્રણ પ્રકારના હોય છે. જાણો તમામ માહિતી Daily Dose માં