ધનતેરસે વાસણ, સોનુ કે ચાંદી ખરીદવાનુ પ્રચલન છે. આ દિવસે ખરીદીની સાથે દાનનું પણ મહત્ત્વ છે. કેટલીક વસ્તુઓનુ દાન કરવાથી ઘરમાં આખુ વર્ષ સુખસંપતિ જળવાઇ રહેશે અને લક્ષ્મીજીની કૃપા વરસશે.
ઝાડુ- સાવરણી
ધનતેરસે નવી સાવરણી ખરીદીને તેની પુજા કરવામાં આવે છે. ઘરમાં નવુ ઝાડુ લાવવા ઉપરાંત તમે કોઇ મંદિરમાં કે કોઇ સફાઇકર્મીને સારુ ઝાડુ ખરીદીને દાન કરી શકો છો. આમ કરવાથી લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન રહેશે.
અન્નદાન
અન્નદાનનો મહિમા હિંદુ ધર્મમાં સૌથી મોટો છે. તમે ધનતેરસ પર કોઇ ગરીબને ભોજન કરાવી શકો છો. ભોજનમાં કેસર ભાત,નારિયેળ અને પીળા રંગની મીઠાઇ હોય તો ખુબ જ સારું રહે છે. ભોજન કરાવ્યા બાદ દક્ષિણા અવશ્ય આપો. તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન રહેશે અને વર્ષભર અનાજના ભંડાર ભરાયેલા રહેશે.
લોખંડનુ દાન
એવી માન્યતા છે કે ધન તેરસના દિવસે લોખંડની વસ્તુનુ દાન કરવાથી દુર્ભાગ્ય ચાલ્યુ જાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તમે કોઇ ગરીબ કે કોઇ જરુરિયાતમંદ વ્યક્તિને લોખંડની વસ્તુનુ દાન કરી શકો છો.
વસ્ત્ર દાન
ધન તેરસના દિવસે કોઇ જરુરિયાતમંદને પીળા વસ્ત્રોનુ દાન કરવુ જોઇએ. આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને કુબેરદેવની કૃપા મળે છે.
ધનતેરસે આટલી બાબતોનુ પણ ધ્યાન રાખો
- નવી સાવરણીની સાથે સુપડી પણ ખરીદો
- સાંજે દીવડા પ્રગટાવીને ઘરને સજાવો
- મંદિર, ગૌશાળા, નદીનો ઘાટ, કુવો કે તળાવ અથવા ઘરના બગીચાને પણ સજાવો
- યથાશક્તિ તાંબુ, પિત્તળ, ચાંદી કે ગૃહ ઉપયોગી નવીન વાસણો કે આભુષણોનુ દાન કરો
- તેરસના દિવસે સાંજે તલના તેલમાં દીપ પ્રગટાવો
- તિજોરીમાં રાખેલા કુબેરનુ પુજન કરો.