બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 05:53 PM, 8 September 2023
વિશ્વભરના અનેક નેતાઓ G20 સમિટમાં શામેલ થવા માટે ભારત પહોંચી રહ્યા છે. કોઈપણ નેતાને તકલીફ ના થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિપ્લોમેટીક પાસપોર્ટ હોય તેમ છતાં તમામ નેતાઓએ પાસપોર્ટ તપાસ કરાવવી જરૂરી છે.
ડિપ્લોમેટીક પાસપોર્ટ શું છે?
રાહુલ ગાંધીએ થોડા મહિના પહેલા ડિપ્લોમેટીક પાસપોર્ટ સરેન્ડર કરવો પડ્યો હતો. ત્યારપછી તેઓ સામાન્ય પાસપોર્ટ સાથે અમેરિકા ગયા હતા. કેટલાક નેતાઓ અને અધિકારીઓને આ ડિપ્લોમેટીક પાસપોર્ટ આપવામાં આવે છે. આ પાસપોર્ટ બ્રાઉન રંગનો હોય છે અને 5 વર્ષે એક્સપાયર થાય છે, સામાન્ય પાસપોર્ટ 10 વર્ષે એક્સપાયર થાય છે.
પાસપોર્ટના ફાયદા
ડિપ્લોમેટીક પાસપોર્ટમાં કેટલીક સુવિધા આપવામાં આવે છે, જેમ કે, હોસ્ટ દેશમાં ધરપકડ અથવા કાયદાકીય કાર્યવાહી ના થઈ શકે છે. કોઈપણ જોખમ હોય તો સૌથી પહેલા દેશમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે છે. વિદેશમાં એમ્બેંસીથી લઈને યાત્રા દરમિયાન અનેક સુવિધા પવામાં આવે છે. વિઝાની જરૂર રહેતી નથી. ઈમિગ્રેશન અથવા ઔપચારિકતા માટે લાઈનમાં ઉભા રહેવું પડતું નથી.
જો બાઈડેનનો પાસપોર્ટ
અમેરિકાના રાષ્ટ્રપતિ, તેમના પરિવાર અને હાઈ રેન્કિંગ અધિકારીઓને કાળા રંગનો પાસપોર્ટ આપવામાં આવે છે. જે માટે કોઈ ફી આપવાની રહેતી નથી. સામાન્ય પાસપોર્ટ વાદળી રંગનો હોય છે. ઉપરાંત અન્ય 3 રંગના પાસપોર્ટ હોય છે, જે અલગ અલગ હેતુથી આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ પાસે આ પાસપોર્ટ સાચવવા માટે અલગ પર્સનલ હોય છે. જેમણે પ્રેસિડેન્ટની સાથે જરૂરી ડોક્યુમેન્ટ લઈને જવાનું રહે છે. બાઈડેન ફ્લાઈટમાંથી ઉતરશે અને તેઓ તેમનો પાસપોર્ટ ચેક કરશે. બાઈડેન સુરક્ષા બંદોબસ્તની સાથે ચાલશે. વાપસી દરમિયાન પણ આ જ પ્રોસેસ જશે.
ત્રણ લોકોને ખાસ સુવિધા આપવામાં આવી છે
દેશોમાં થતા ગેરકાયદાકીય પ્રવેશને રોકવા માટે પાસપોર્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. વિશ્વમાં 3 એવા વ્યક્તિ છે, જેમણે ઓળખાણ માટે પાસપોર્ટ અથવા આઈડીની જરૂર નથી. તેઓ પાસપોર્ટ વગર અન્ય દેશોમાં એન્ટ્રી મેળવી શકે છે.
બ્રિટીશ કિંગ ચાર્લ્સ
કિંગ પહેલા બ્રિટીશ ક્વીન એલિઝાબેથ પાસે આ અધિકાર હતો. ક્વીનના નિધન પછી બ્રિટનના પછી વિદેશ મંત્રાલયે આદેશ આપ્યો હતો કે, હવે ચાર્લ્સ રાજા છે. જેથી હવે કિંગ ચાર્લ્સે પણ પાસપોર્ટ દર્શાવવાની જરૂર નથી. કિંગ ચાર્લ્સના પરિવાર પાસે પણ ડિપ્લોમેટીક પાસપોર્ટ છે. જેથી તેમને અનેક સુવિધાઓ આપવામાં આવે છે.
પાસપોર્ટની જરૂર શા માટે નથી
બ્રિટનમાં તમામ પાસપોર્ટ સમ્રાટના નામ પર જાહેર થાય છે, જેથી સમગ્ર દેશની ઓળખ કિંગ અથવા ક્વીન છે. આ કારણોસર તેમણે પાસપોર્ટની જરૂર રહેતી નથી. પાસપોર્ટ સિસ્ટમ શરૂ થઈ તે સમયે આ દેશે અનેક દેશો પર કબ્જો કરેલ હતો.
જાપાનના રાજા-રાણીને વિશેષ અધિકાર
જાપાનમાં પણ રાજાશાહી છે. જાપાનના સમ્રાટ નારોહિતો અને ક્વીન મસાકો ઓવાદા છે. વર્ષ 2019માં તેમને આ પદ આપવામાં આવ્યું છે. 70 દાયકામાં સંસદમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, રાજા રાણીને આ તપાસ પ્રક્રિયામાંથી પસાર થવા દેવામાં નહીં આવે છે. જેથી જ્યારે પણ જાપાનમાં નવા સમ્રાટ આવે છે, ત્યારે જાપાનનું વિદેશ મંત્રાલય અન્ય દેશોને આ બાબતે સંદેશ આપે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime