બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / The 'Maha' thunderstorm did not even rock the Mahamaru Palace Temple in the 250 km winds
Last Updated: 06:18 AM, 6 November 2019
ADVERTISEMENT
'મહા' સામે પણ મહાદેવ અડીખમ રહેશે
કૈલાશ મહામેરૂ પ્રાસાદ (સોમનાથ) મંદિર ચાલુક્ય શૈલીથી બાંધાયેલું છે. સોમપુરા કારીગરોની કલાનો અદભૂત નમુનો છે. આ મંદિર 1983માં 250 ઝડપથી આવેલાં વાવાઝોડાંમાં પણ અડિખમ રહ્યું હતું. તેને કોઈ જ નુકસાન થયું નહોતું. મંદિરના ટ્રસ્ટી જે.ડી પરમાર અને ટ્ર્સ્ટી સેક્રેટરી પી.કે. લહેરી કહે છે કે મહા વાવાઝોડામાં પણ આ મંદિરને કોઈ જ નુકસાન નહી થાય.
ADVERTISEMENT
મંદિરની શંકુ ડિઝાઈનમાં વાવાઝોડું અસર પણ નહીં કરે
'મહા' વાવાઝોડામાં સોમનાથને કોઈ જ નુકસાન નહી થાય એમ કહેતા મંદિરનાં ટ્રસ્ટી જે. ડી પરમાર જણાવે છે કે, '1983માં 250 કિમીની ઝડપથી વાવાઝોડું આવ્યું હતું. તેમ છતાં આ મંદિરને કોઈ જ નુકસાન થયું નહોતું. કારણ કે આ મંદિર જુની બાંધકામની પદ્ધતિથી બનેલું છે. સોલંકી કાળની ચોલુક્ય શૈલીથી આ મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ મંદિર શંકુ આકારનું છે એટલે કે પિરામીડ જેવું નીચેથી પહોળું ઉપરથી સાંકળું છે. વિજ્ઞાનનો સિદ્ધાંત છે જેનો પાયો ટોચની સરખામણીએ બહાર નીકળતો હોય તેનાં નમવાનાં અને પડવાનાં શક્યતાં ઓછી હોય છે.'
ADVERTISEMENT

ADVERTISEMENT
આખું મંદિર એક જ સ્ટ્રક્ચરમાં છે
મંદિરમાં ગર્ભગૃહ, શીખર, સભા મંડપ અને નૃત્ય મંડપ છે. જેનો પાયો 30 ફુટ ઊંડો છે. 30 ફુટ નીચેનાં પાકા પથ્થર પર આડી અને ઊભી શીલાઓથી પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. તેનાં ઉપર 9 ફુટ વ્યાસનાં કેસીંગ (કુવા જેવું) છે. આ કેસીંગમાં કોંકરીટ ભર્યું છે. જેનાં પર પિલ્લર બનાવવામાં આવ્યાં છે. એક કેસીંગ પર 4 પિલ્લર છે. મંદિરનાં ઉપરનાં બાંધકામમાં બે શીલાની વચ્ચે સાગ અને સીસમનાં ડટ્ટા મારવામાં આવ્યાં છે. એટલે કે બે શીલાને જકડી રાખવા સાગ-સીસમને ક્લિપની જેમ વાપરમાં આવ્યાં છે. આખું મંદિર એક જ સ્ટ્રક્ચર છે. એટલે તેનાં એક પણ ભાગને નુકસાન થવાની કોઈ શક્યતા નથી.
ADVERTISEMENT
મંદિરને ભૂકંપમાં પણ નુકસાન નહીં થાય
મંદિરનું નામ જ છે કૈલાસ મહામેરુ પ્રાસાદ મંદિર એક જ સ્ટ્રક્ચરમાં બન્યું હોવાથી તેને ધરતીકંપની પણ અસર થતી નથી. મંદિરની ફરતે કિલ્લો છે એટલે કે મંદિરની ફરતે જે દિવાલ (કિલ્લો) છે. તે પણ 30થી 35 ફુટ નીચેથી છે. જેથી ભૂકંપમાં પણ જમીન ખસી ન શકે. ધરતી પર દબાણ આવે તો તે ઘસે છે પણ કિલ્લો માટીને પકડી રાખે છે. આ જ કારણથી ભૂકંપમાં પણ મંદિરને નુકસાન નથી થતું.
ADVERTISEMENT
વિશ્વનું એક માત્ર મહા અને મેરુ ડિઝાઈનનાં સમન્વયથી બનેલું મંદિર
'આ મંદિર વિશ્વનું એક માત્ર એવું મંદિર છે જે મહા પ્રાસાદ અને મેરુ પ્રાસાદ એમ બે ડિઝાઈનને ભેગી કરી બનાવવામાં આવ્યું છે. દિપાર્ણવ અન મય વાસ્તુશાસ્ત્રનાં ગ્રંથોમાં મંદિર કેવી રીતે બાંધવા જોઈએ તેની વિગતો આપવામાં આવી છે. આ બન્ને ગ્રંથોમાં જે રીત દર્શાવાઈ છે. એ જ રીતથી સોમનાથનું નિર્માણ કરવામાં આવ્યું છે.'
આ કારણોથી મંદિરને નુકસાન નહીં થાય
મંદિરનાં સેક્રેટરી પી. કે. લહેરી કહે છે કે, 'મંદિરનું સ્ટ્રક્ચર શંકુ આકારમાં છે. જે રીતે મંદિરનું બાંધકામ છે તે રીતે મહામાં કોઈ જ નુકસાન થવાની શક્યતાં નથી. કેમ કે ઝડપથી આવતાં પવનો પણ મંદિરની બન્ને તરફથી નીકળી જશે. જેથી મંદિરને નુકસાન નહીં થાય.'
સ્ટોરી : ધર્મિષ્ઠા પટેલ, અમદાવાદ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.