બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Jain-Hindu temple dispute in Girnar flared up again

વિવાદ / ગિરનારમાં જૈન-હિંદુ દેવસ્થાનનો વિવાદ ફરી વકર્યો, હાઇકોર્ટે ગુજરાત અને કેન્દ્ર સરકારને પાઠવી નોટિસ, જાણો કેસ

Vishal Khamar

Last Updated: 09:01 AM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીરનારમાં જૈન-હિંદુ દેવસ્થાનનો વિવાદ ફરી વકર્યો છે. જેમાં નેમીનાથનાં પગલાને લઈ જૈન સમાજે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ સમગ્ર મામલે હાઈકોર્ટે ગુજરાત અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.

  • ગીરનારમાં જૈન-હિંદુ દેવસ્થાનનો વિવાદ ફરી વકર્યો
  • ગીરનારની 5મી ટુંક પર નેમીનાથની પૂજા માટે માગી મંજૂરી
  • જૈન સમાજનો દાવો કે નેમીનાથ દાદાના છે પગલા

 ગીરનારમાં જૈન-હિંદુ દેવસ્થાનનો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. ત્યારે આ વિવાદ ફરી વકર્યો છે. જૈન સમાન દ્વારા નેમીનાથનાં પગલાને લઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમજ ગીરનારની 5 મી ટુંક પર નેમીનાથની પૂજા માટે મંજૂરી માંગી છે. આ સમગ્ર મામલે હાઈકોર્ટે ગુજરાત અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. પાંચમી ટુંક પર પગલાની પૂજાને લઈ વિવાદ ચાલી રહ્યો છે. તો બીજી તરફ હિન્દુઓનાં મતે પગલા દત્તાત્રેય ભગવાનનાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. જૈન સમાજ દ્વારા દાવો કરાય છે કે પગલા નેમીનાથ દાદાના છે. 

ફાઈલ ફોટો

થોડા મહિના પહેલા દત્તાત્રેય દેવ સ્થાનમાં મૂર્તિ સાથે છેડછાડનો પ્રયાસ કરાયો હતો
થોડા સમય અગાઉ કેટલાક લોકો દ્વારા દત્તાત્રેય દેવસ્થાનમાં હલ્લાબોલ કરીને મૂર્તિ સાથે છેડછાડનો પ્રયાસ કરવામાં આવતા અને 'ગિરનાર અમારો છે' તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવતા વિવાદ વકર્યો છે. આ મામલે પૂજારી દીપક બાપુએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.   

વધુ વાંચોઃ ઘઉંનો પાક આવતા માર્કેટ ડાઉન! નવી આવકે દેખા દેતા ભાવ અડધા થઈ ગયા! યાર્ડ સત્તાધીશોએ 'ટેકો' બતાવ્યો

ગિરનારમાં દત્તાત્રેય શિખરનો વિવાદ શું છે?
ગિરનારમાં દત્તાત્રેય શિખરને લઈને ચાલી વિવાદ ચાલી રહ્યો છે. દત્તાત્રેય શિખર પર ભગવાન દત્તાત્રેયના પગલા આવેલા છે. જૈન માને છે શિખર પર જે પગલા છે તે નેમીનાથના છે. દત્તાત્રેય શિખરનો વિવાદ આઝાદીકાળથી ચાલી રહ્યો છે. હાઈકોર્ટમાં બંને પક્ષે સામસામે દાવો પણ કર્યો છે. કોર્ટે વિવાદાસ્પદ પ્રવૃત્તિ ન કરવા હુકમ કર્યો છે. કોર્ટે જૈનને પૂજા કરવાની સત્તા આપી નથી. સદીઓથી હિન્દુ સંસ્થા દત્તાત્રેય શિખર પર પૂજા કરે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ