બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / The government has given instructions to the officials of all departments regarding the pen down movement
Dinesh
Last Updated: 11:11 PM, 5 March 2024
સરકારી કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈ પેનડાઉન કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેના પગલે સરકાર હવે જાગી છે. સરકારે તમામ ખાતાઓના વડાને સૂચના આપી છે કે, કર્મચારીઓ વિરોધનો કાર્યક્રમ જાહેર કરે તો પગલા લેવા. આ આદેશ સામાન્ય વહિવટ વિભાગે જાહેર કર્યા છે
નિયમોનુસાર પગલા લેવા આદેશ અપાયા
આંદોલન સંદર્ભે પગલા ભરવા તાકીદ કરાઇ છે. પોતાની કચેરીના કર્મચારીઓ કોઇપણ પ્રકારનો કાર્યક્રમ આપે તો નિયમોનુસાર પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારના વિવિધ સરકારી કર્મચારી મંડળો આંદોલન પ્રારંભ કરી રહ્યાં છે. તેમજ આવતીકાલે પેનડાઉન કાર્યક્રમની પણ જાહેરાત કરી છે. અત્રે જણાવીએ કે, જૂની પેન્શન યોજના, કરાર આધારિત ભરતીની નીતિ બંધ કરવાની માગ સહિતના મુદ્દાને લઈ પેન ડાઉન આંદોલન છેડાયું છે.
શું છે પેન ડાઉન આંદોલન ?
પેન ડાઉન કાર્યક્રમમાં શિક્ષણ સંઘના પરિપત્રમાં જણાવ્યું છે કે, 1. શાળાએ જઈ શિક્ષક હાજરીપત્રકમાં સહી કરશે. 2. બાળકોના હાજરીપત્રકમાં બાળકોની હાજરી પુરીશું. 3. પરંતુ બાળકો કે શિક્ષકોની હાજરી ઓનલાઈન પુરીશું નહી. 4. સીઆરસી/બીઆરસી મિત્રો લોકેશન ઉપર જઈશું પરંતુ કામગીરીથી અળગા રહીશું. 5. શાળામાં S.I આવે તો કોઈ માહિતી આપીશું નહી. 6.કોઈ તાલુકા કે જિલ્લ કચેરીમાં અધિકારી સાથે માહિતી આપે લે કરીશું નહી. 7. તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીથી દૂર રહીશું. 8. શાળા કક્ષાએ બાળકોને લગતા કોઈ પ્રમાણપત્ર બનાવીશું નહી. 9.પેનડાઉન- એટલે શિક્ષણ કાર્યથી અળગા રહીશું. 10. ચોક ડાઉન એટલે શિક્ષણ કાર્યથી અળગા રહીશું. 11. સટડાઉન- લેપટોપ, કોમ્પ્યુટર સટડાઉન મોડમાં જ રાખીશું
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ