બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
Dinesh
Last Updated: 05:42 PM, 6 April 2024
પરષોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. તેમની એક જ માંગ છે કે, ભાજપ રૂપાલાની ટિકિટ પરત ખેંચે. જેને લઈ વિવિધ સંમેલનો તેમજ આવેદન પત્ર પાઠવવાનું ચાલી રહ્યું છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજ રાજકોટમાં મહારેલી યોજવાની તૈયારી કરી રહ્યું છે. જે રેલીને લઈ તેમને મંજૂરી પણ મળી ગઈ છે. ત્યારે રેસકોર્સ રોડ થઇને કલેક્ટર કચેરીએ ક્ષત્રિય સમાજ જશે ત્યાં આવેદ પત્ર પાઠવવામાં આવશે
ક્ષત્રિય સમાજને રાજકોટમાં મહારેલી યોજવાની કલેક્ટર તંત્રએ મંજૂરી પણ આપી દીધી છે. 300થી 350 વ્યક્તિની રેલી માટે મંજૂરી માગવામાં આવી હતી. ક્ષત્રિય સંગઠનો દ્વારા એક કલાક માટે રેલીનું આયોજન કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી, જે વહીવટી તંત્રએ આપી દીધી છે.
બહુમાળી ચોક ખાતે પોલીસ બંદોબસ્ત
રાજકોટ સ્થિત બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જ્યાં વોટર કેનન અને વજ્ર વાહનો તકેદારીના ભાગ રૂપે રાખવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાનો કેસરી સાફા પહેરીને બહુમાળી ચોક ખાતે પહોંચ્યા પણ છે.
ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ થવાની છે એ અમને વિશ્વાસ છે. ઉમેદવારી નોંધાવે તે પહેલાં અમે કેટલાક નિર્ણયો કરવાના છીએ. જે બાબતને લઈ આવતીકાલે ધંધુકા ખાતે અસ્મિતા નામનું વિશાળ સંમેલન યોજાશે. તેમણે વિગતો આપતા કહ્યું કે, ધંધુકાના સંમેલનમાં ક્ષત્રિય અને રાજપૂત સમાજના તમામ સંગઠનો જોડાશે.
કરણસિંહ ચાવડાએ ઉમેર્યું હતું કે, રાજકોટ બેઠક પર 400થી વધુ ઉમેદવારી પત્રો ભરાશે. રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજનુ વિશાળ સંમેલન યોજાશે. જે ગુપ્ત રણનીતિ હોવાથી બાદમાં જાહેર કરાશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો