બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / 'ભારત માટે સૌથી મોટી સમસ્યા કેનેડા', વિદેશમંત્રી જયશંકરે ફરી PM ટ્રૂડોને ચેતવણી આપી

બે દેશો વચ્ચે તિરાડ / 'ભારત માટે સૌથી મોટી સમસ્યા કેનેડા', વિદેશમંત્રી જયશંકરે ફરી PM ટ્રૂડોને ચેતવણી આપી

Last Updated: 04:35 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એક વાર કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડો પર નિશાન સાધીને તેમને ચેતવણી આપી છે.

ગુનેગારોને વીઝા આપનાર કેનેડા પર વિદેશ મંત્રી જયશંકર બરાબરના વરસ્યાં છે. જયશંકરે ચેતવણી આપતાં કહ્યું કે કેનેડા અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ઉગ્રવાદ, અલગતાવાદ અને હિંસાના હિમાયતીઓને કાયદેસરતા આપી રહ્યો છે. હાલમાં કેનેડા ભારત માટે મોટી સમસ્યા બન્યો છે.

નિજ્જરની હત્યામાં પકડાયેલા ભારતીય નાગરિકો પર બોલ્યાં

જયશંકરે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં કથિત રીતે સંડોવાયેલા ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે જસ્ટિન ટ્રુડોનો દેશ વિચારે છે કે ગુનેગારોને પ્રોત્સાહન આપવાનું તેમનું આ કામ કોઈ નહીં જોવે અને કોઈ કંઈ નહીં બોલે. કેટલાક દેશોમાં, આવા લોકોએ પોતાને રાજકીય રીતે સંગઠિત કર્યા છે અને રાજકીય લોબી બની ગયા છે. આમાંના કેટલાક લોકશાહીઓમાં, ત્યાંના રાજકારણીઓ એવું માનવા પ્રેરાય છે કે જો તેઓ આ લોકોનો આદર કરે અથવા આ લોકોને ટેકો આપે તો તેઓ કોઈ સમુદાયને ટેકો આપવાની ક્ષમતા ધરાવે છે. આથી તેમણે આ દેશોના રાજકારણમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કર્યો છે.

કેનેડા ભારત માટે મોટી સમસ્યાઃ જયશંકર

કેન્દ્રીય વિદેશ મંત્રીએ કેનેડાને ભારતની સૌથી મોટી સમસ્યા ગણાવી હતી. "અત્યારે આપણી સૌથી મોટી સમસ્યા કેનેડાની છે, કારણ કે કેનેડામાં આજે આપણી પાસે જે સરકારે છે તેણે કટ્ટરવાદ, અલગતાવાદ અને હિંસાની હિમાયત કરનારાઓને સ્વતંત્રતાના નામે કેટલીક કાયદેસરતા આપી છે. જ્યારે તમે તેમને કંઈક કહો છો, ત્યારે તેઓ જવાબ આપે છે, 'અમે એક લોકશાહી દેશ છીએ, પરંતુ આ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે.

વધુ વાંચો : 'કસાબ નહીં પોલીસ ગોળીથી મોત', હેમંત કરકરે ફરી ચર્ચામાં કોણ હતા, કેવી રીતે ખપી ગયાં?

કેનેડાએ આપ્યાં હતા ગુનેગારોને વીઝા

એસ જયશંકરે પંજાબમાં સંગઠિત ગુનાઓમાં સામેલ ગુનેગારોને વિઝા આપવા બદલ કેનેડિયન સરકારની ટીકા કરી હતી.આ ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારો છે, તમે તેમને વિઝા કેમ આપ્યા છે. આમાંથી ઘણા લોકો ખોટા દસ્તાવેજો પર કેનેડા જાય છે, પરંતુ તેમને રહેવાની મંજૂરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ