બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
Last Updated: 04:35 PM, 5 May 2024
ગુનેગારોને વીઝા આપનાર કેનેડા પર વિદેશ મંત્રી જયશંકર બરાબરના વરસ્યાં છે. જયશંકરે ચેતવણી આપતાં કહ્યું કે કેનેડા અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ઉગ્રવાદ, અલગતાવાદ અને હિંસાના હિમાયતીઓને કાયદેસરતા આપી રહ્યો છે. હાલમાં કેનેડા ભારત માટે મોટી સમસ્યા બન્યો છે.
ADVERTISEMENT
નિજ્જરની હત્યામાં પકડાયેલા ભારતીય નાગરિકો પર બોલ્યાં
જયશંકરે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં કથિત રીતે સંડોવાયેલા ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે જસ્ટિન ટ્રુડોનો દેશ વિચારે છે કે ગુનેગારોને પ્રોત્સાહન આપવાનું તેમનું આ કામ કોઈ નહીં જોવે અને કોઈ કંઈ નહીં બોલે. કેટલાક દેશોમાં, આવા લોકોએ પોતાને રાજકીય રીતે સંગઠિત કર્યા છે અને રાજકીય લોબી બની ગયા છે. આમાંના કેટલાક લોકશાહીઓમાં, ત્યાંના રાજકારણીઓ એવું માનવા પ્રેરાય છે કે જો તેઓ આ લોકોનો આદર કરે અથવા આ લોકોને ટેકો આપે તો તેઓ કોઈ સમુદાયને ટેકો આપવાની ક્ષમતા ધરાવે છે. આથી તેમણે આ દેશોના રાજકારણમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT
કેનેડા ભારત માટે મોટી સમસ્યાઃ જયશંકર
કેન્દ્રીય વિદેશ મંત્રીએ કેનેડાને ભારતની સૌથી મોટી સમસ્યા ગણાવી હતી. "અત્યારે આપણી સૌથી મોટી સમસ્યા કેનેડાની છે, કારણ કે કેનેડામાં આજે આપણી પાસે જે સરકારે છે તેણે કટ્ટરવાદ, અલગતાવાદ અને હિંસાની હિમાયત કરનારાઓને સ્વતંત્રતાના નામે કેટલીક કાયદેસરતા આપી છે. જ્યારે તમે તેમને કંઈક કહો છો, ત્યારે તેઓ જવાબ આપે છે, 'અમે એક લોકશાહી દેશ છીએ, પરંતુ આ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે.
વધુ વાંચો : 'કસાબ નહીં પોલીસ ગોળીથી મોત', હેમંત કરકરે ફરી ચર્ચામાં કોણ હતા, કેવી રીતે ખપી ગયાં?
કેનેડાએ આપ્યાં હતા ગુનેગારોને વીઝા
એસ જયશંકરે પંજાબમાં સંગઠિત ગુનાઓમાં સામેલ ગુનેગારોને વિઝા આપવા બદલ કેનેડિયન સરકારની ટીકા કરી હતી.આ ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારો છે, તમે તેમને વિઝા કેમ આપ્યા છે. આમાંથી ઘણા લોકો ખોટા દસ્તાવેજો પર કેનેડા જાય છે, પરંતુ તેમને રહેવાની મંજૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT